________________
કાર
૩૯ : આજની વજૂદ વિનાની વાતો - 39 - ૫૧૩ આ વાત શ્રીસંઘની ચાલે છે. શ્રીસંઘની સરખામણી મેરૂ સાથે થાય છે. જેમ કેવળ નામ સાધુ-વેષધારી સાધુ પૂજ્ય નથી, તેમ કેવળ નામજૈનો કે જેઓ સાચા જૈનપણાનો જ વિરોધ કરે છે, તેઓ શ્રી જૈનસંઘમાં કદી પણ આવી શકતા નથી.
એ લોકો એમ કહે કે, “અમે તો કેવળ નામધારી જૈન. અમારો વર્તાવ ન પૂછો, “મા-બાપ જૈન છે, જાતિએ જૈન છીએ, બીજું કાંઈ ન પૂછો !” તો એ ન ચલાવાય. અત્યાર સુધીના જાતિજૈનો કે જેઓ વસ્તુસ્વરૂપથી અજ્ઞાત હતા છતાં પણ નભતા. કારણ કે, તેઓ સ્વભાવતઃ લજ્જાળુ, શરમાળ, મર્યાદાશીલ અને વિવેકી હતા. ‘દેવ તો આ જ – ગુરુ તો આ જ' એમ એ કહેતા હતા અને એથી જ એમને સંઘમાં નભાવી શકાતા હતા. મૂર્તિની સામે કદી એ લોકો લાલ આંખો નહોતા કરતા. પ્રભુના ભંડારોમાં અબજો જોઈને પણ એમની દૃષ્ટિ નહોતી બગડતી. મોટાં ગગનચુંબી શિખરોવાળા મંદિરો જોઈ, એ નમતા, નાચતા, અનુમોદના કરતા અને બનાવનાર પુણ્યશાળીની પ્રશંસા પણ કરતા ! પણ આજનાઓની જેમ બળતરા નહોતા કરતા !! આજના એ જાતિજૈનોમાં પણ જો એ જાતિગુણનો વારસો હોત, તો પણ એમને એટલા તો માનતા, પણ એનું પણ એમણે લિલામ કર્યું છે. • જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજઃ
* વિચાર કરો અને કહો કે, જાતિર્જન પણ ધર્મક્રિયાની સામે હાથ જોડે કે, , “આ શું' એમ કરે ? કલ્પના ખાતર માનો કે, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ,
પૂજાદિ ક્રિયા ન કરી શકે, પણ કરનારના સામે જેના હાથ પણ ભેગા ન થાય, , એને જૈન પણ કોણ માને ? જિનમંદિર જોઈને જૈનની આંખમાં બળતરા થાય ? જિનમંદિરોમાં હજારો ખર્ચનારને મૂર્ખ કહેનારમાં જૈનત્વ કેમ જ હોય ? કોઈ વસ્તુમાં કોઈ વખતે વધુ જરૂર લાગે, તો એ એમ કહે કે, “આપ જેમાં વાપરો છો એ ખાતું તારક છે, ઉત્તમ છે, પણ આપ જેવા પણ જો અમુક ખાતા તરફ નજર નહિ કરો તો એ ખાતાંની હાલત શી થશે ?' પણ “આની જરૂર નથી' એમ કેમ જ કહેવાય ? જાતિગુણ હોય તો પણ વાંધો નહિ. પણ આજના તો કહે છે કે, “અમને જૈન કહેવરાવવાની પણ દરકાર નથી !” તો વિચારો કે, એમને દરકાર શાની છે ? “જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ' એવું કરવું હોય એ કેમ જ નભે ? આવા શિક્ષણને જ અમે ઝેર જેવું કહીએ છીએ?
શંકાદોષમાંથી ભયંકર અવસ્થા પેદા થતી જાય છે. પાંચે દોષો નાશ ન