SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 512 સ્વરૂપે પ્રગટાવનારાં જ એમનાં વિધિ-વિધાનો છે. એક પણ વિધિ-વિધાન એવું નથી કે, જે “મૂળ ગુણને હાનિ પહોંચાડે” આવી નિશ્ચળ શ્રદ્ધા હોય, ત્યાં બીજા દોષો આવવા અસંભવિત છે. છતાં મોહનો વેગ જબરો છે, આવી પણ જાય ! આજે તો પાંચે દોષોનું સામ્રાજ્ય છે. તેમાંય પહેલો શંકાદોષ તો વાતવાતમાં છે. આટલું ન કરીએ તો ખોટું શું ? શ્રાવક છતાં અમુક વર્તનમાં હરકત શી ?' આવી આવી શંકા કરનારા અનેક પડ્યા છે ! જૈનકુળમાં જન્મ્યા એટલે જૈન કહેવરાવીએ પણ જૈન કહેવરાવવા આટલી કરણી શા માટે ?” આવી શંકા પણ કરનારા પડ્યા છે !! “આત્માને આત્મધર્મની જરૂ૨, પણ આ બધો બાહ્યાડંબર શો ?' જ્ઞાની આવું ન કહે, પણ . આ તો બધું પાછળથી ઉપજાવી કાઢેલું છે, અમે ગમે તેમ વર્તીએ, મરજીમાં આવે તેમ બોલીએ, ચાલીએ તેમાં જૈનપણાને વાંધો શો ? જીવવું દુનિયામાં તો દુનિયા ચાલે તેમ ચાલવામાં જેનપણાને વાંધો શો ? જાતે જૈન, કર્મે ગમે તેવા, તેમાં જૈનપણાને વાંધો શો ? આવી આવી શંકાઓ, કે જે મિથ્યાત્વને જીવંત રાખી, આવતા સમ્યકત્વને અટકાવનાર છે તથા જે આત્મામાં સમ્યક્ત્વ હોય તેમાં સમ્યક્ત્વનો નાશ કરીને મિથ્યાત્વને લાવનાર છે, તેવી ખોટામાં ખોટી શંકાઓ પણ કરનારા પડ્યા છે !! સભાઃ આમાં તો નરી સ્વચ્છંદતા છે પણ એ સ્વચ્છંદતાનો જન્મ ખોટી શંકામાંથી થાય છે. ક્રમે ક્રમે ખોટી શંકા વધે, પછી સ્વચ્છંદતાયે આવે અને સન્નિપાત પણ આવે ! પોલાણ થાય એટલે મિથ્યાત્વ ઘૂસે. શંકાના યોગે પણ પતનકાળ થાય છે અને પતનકાળના યોગે પણ શંકા થાય છે. શંકાના યોગે ભયંકર વર્તાવ થાય છે. આજે લગભગ ધર્મહીન બનેલાઓ પૈકીના ઘણા જૈનોની આ મનોવૃત્તિ છે! જૈનકૂળમાં જન્મે તે બધા જનસંઘમાં ગણાય તો ? અમુક કક્ષામાં ગણાવવા ઇચ્છનારમાં અમુક યોગ્યતા જોઈએ જ, એ વાતને એ બિચારા સમજતા નથી ! એવાઓ બે હાથ, બે પગ વગેરેથી ભલે માનવ કહેવાય અને મનાય ! પણ એવાઓએ સમજવું જોઈએ કે, જૈન કહેવરાવવું સહેલું છે. પણ જૈન તરીકે બહાર આવવું ઘણું જ કઠિન છે. શ્રીસંઘમાં તે ગણાય કે જે જૈન તરીકે બહાર આવે, કેવળ જાતિ માત્રથી જ જૈન ગણાતા સંઘમાં ગણાય, તો તો સત્યનાશ વળે, કેવળ જાતિજૈનો કે જેમના વર્તાવ વિલક્ષણ હોય, જેમની માન્યતામાં ઢંગધડો જ ન હોય, એવાઓને જ પૂજ્ય કોટિમાં મુકાય તો તો કોઈની મુક્તિ જ ન થાય.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy