SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ 509 - ૩૮ઃ જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 - ૫૦૯ મોટાને ના કહેતાં તો સત્તર વિચાર થાય, ન માને તો શું કહેવું એ વિચાર પણ પહેલેથી કરવો પડે, આથી નાનાને સુધારવાની પસંદગી પહેલી. આ માટે સર્વથા વાજબી છે અને વધુમાં સમજો કે, મોટાઓ નથી સુધરતા એમાં સાધુસંસ્થાનું ઓજસ ઘટ્યું છે એમ નથી, પણ એ મોટાઓની નાલાયકાત છે અને લાયક મોટાઓ નથી સુધરતા એમ પણ નથી. કારણ કે, આજે પણ સુધરેલા મોટાઓની સંખ્યા કાંઈ નાનીસૂની નથી. બાળકો કરતાં મોટાઓ કાંઈ ઓછા દિક્ષિત નથી, એટલે સમજો કે, લાયક તો મોટા અગર નાના બધા સુધરે છે અને સુધારાય છે. અસ્તુ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તમામ વસ્તુ સ્વભાવસિદ્ધ હોઈ શંકાને સ્થાન જ નથી.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy