________________
૩૯ઃ આજની વજૂદ વિનાની વાતો
39
વીરસં. ૨૪૫ડ, વિ.સં. ૧૯૮૭, પોષ વદ-૮,બુધવાર, તા. ૨૨-૧-૧૯૩૦
• શંકા વગેરે દોષોથી બચો! • શંકાથી સ્વચ્છંદતાનો જન્મ ! • જૈનકુળમાં જન્મે તે બધા જૈનસંઘમાં ગણાય તો ? • જેણે મૂકી લાજ, તેને નાનું સરખું રાજ : -આવા શિક્ષણને જ અમે ઝેર જેવું કહીએ છીએ !
એમને શાસ્ત્રો પણ માન્ય નથી ! - સાધુ માટે આજના સાહિત્યનો અભ્યાસ જરૂરી છે ?
આજનું સાહિત્ય ! • આજે લખાતા ઇતિહાસો ! • શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજના નામે ! • શાસ્ત્રોની વાત સમજવા માટેય વિવેક જોઈએ ! • ધર્મગુરુ કે ધર્મશાસ્ત્ર કુપાત્ર ઉપર ઉપકાર ન કરી શકે !
પૂ. આનંદધનજી મ.નો આદર અને પૂ. યશોવિજયજી મ.નો અનાદર કેમ ? • પાયામાં હાડકાં હોય તો તેને કાઢવાં જ પડે : • એમને સમ્યગ્દર્શનનો અંકુશ ખટકે છે કેમ? • દેવ, ગુરુ અને ધર્મ !
સંસારને સારો માનનાર મિથ્યાદષ્ટિ ! • સંસારને સારો મનાવે તે સાધુ કેમ કહેવાય ? • વેષ વિડંબક અને શાસનદ્રોહી !
શંકા વગેરે દોષોથી બચો!
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની સ્તવના કરતાં શ્રીસંઘની મેરૂની સાથે સરખામણી કરે છે. મેરૂની પીઠ વજરત્નની છે અને તે. દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂની વજરત્નમયી પીઠ શ્રી સમ્યગુદર્શન છે; એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ, કેમ કે, મોક્ષનું મુખ્ય અંગ એ છે. પીઠમાં પોલાણ ન હોય તો પર-મતની કુવાસના રૂપ પાણી પેસે