SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ 507 — ૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 — ૫૦૭ કરે તેમ એ સાધુ ન કરે. પોતાના સ્વાર્થ માટે એવાઓ કોઈને ગરદન મારે, પણ સૌધુને તો સ્વપ્નામાં પણ એ ભાવના ન આવે; માટે જગદ્ગુરુપદે બેસવા એ લાયક છે. મોટામાં મોટા સમ્રાટનું પણ શિર ત્યાં ઝૂકે, પણ જેણે અભ્યાસ કર્યો હોય તેનું શિર ઝૂકે ને ? અકબર બાદશાહ નમ્યા શી રીતે ? ચંપાબાઈની છ મહિનાની તપશ્ચર્યા સાંભળીને. પહેલાં તો બાદશાહ આશ્ચર્ય પામ્યા; ‘આ કેમ થાય ? કઈ રીતે થાય ?’ એમ એ બાદશાહને થયું; પણ તરત મનમાં થયું કે લોક કહે છે કે છ મહિનાના રોજા કર્યા છે. તપાસ ક૨વાની જિજ્ઞાસા જાગી. વિનયપૂર્વક, પ્રશંસાપૂર્વક (મનમાં ઇરાદો પરીક્ષાનો હતો) મહેલમાં રાખી, ચોકી મૂકી અને જ્યારે જણાયું કે, સત્ય છે એટલે તરત હાથ જોડ્યા. - એ કહે છે કે, ‘હું એક માસના રોજામાં કાયર થાઉં છું, તું છ મહિનાના રોજા તેમાં માત્ર ગરમ કરી ઠંડું કરેલું પાણી અને તે પણ દિવસના જ લેવાનું આવા રોજા કેમ કરી શકી, બેટી !' ચંપાબાઈ કહે છે કે, ‘મારા વીતરાગદેવ અને શ્રી હીરવિજયસૂરિ જેવા ગુરુના પ્રતાપે !' આ સાંભળી બાદશાહે તરત જ એ ગુરુને બોલાવ્યા અને ધર્મ પામ્યા, પણ આ બધી તપાસ કરી અભ્યાસ કર્યો તો ધર્મ પામ્યાને ! ‘છ મહિનાના ઉપવાસ ! બેવકૂફ છે, નાહકનું શરીર બગાડે છે.’ એમ કહી દેત તો એ ધર્મ પામત ? અહિંસા પામત ? નહિ, પણ પુણ્યશાળી બાદશાહે તો એમ કહ્યું કે, ‘હું એક માસના સહેલા રોજામાં કાયર થાઉં છું અને તેં છ મહિનાના આવા કઠિન રોજા કર્યા. ધન્ય છે તને !' એમ કહીને હાથ જોડ્યા. જ્યારે આજના પાગલો તો કહે છે કે, ‘હું ધર્મ ન કરું અને તું કરી શકે ? ખોટી વાત !' આવાઓ તો આ શાસન, આવો ધર્મ, આવાં સુંદર તત્ત્વો શી રીતે પામે ? એ મુસલમાન બાદશાહ સારો કે આ પાગલો સારા, તે વિચારો ! તપની વાત આવે એટલે આજના દિવસ ને રાત ખાવાની ચક્કી ચાલુ રાખનારા, આખો દિવસ વાગોળ્યા કરનારા અને એનું સમર્થન કરનારા કહે છે કે, ‘જોયા હવે !' છ મહિના ન ખાવું એટલે શું ? બાદશાહ પામ્યો એનું કારણ કે, એ એના રોજામાં માનતો હતો. આજના આ લોકો તો ધર્મ જેવી વાતમાં કશું માનતા જ નથી. આજના આ ઉલ્લંઠો એવા સ્વચ્છંદી બન્યા છે કે, એમની જાત પણ શોધી જડતી નથી ! ગામમાં ઘર નહિ અને સીમમાં ખેતર નહિ, એવાને પોલીસ પણ પકડીને કરે શું ? એ તો કોર્ટમાં પણ કહે કે, ‘પોલીસ ઉપકારી કે મને પકડ્યો, આપ મહાઉપકારી કે મારો ગુનો સાંભળ્યો, અને સજા કરવા માટે તો આપનો મોટો આભાર, મને બેસવા ક્યાંય
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy