________________
૫૦૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
502
સભાઃ માનસશાસ્ત્ર એ કહે છે.
અને એ વાતને તો એ લોકો પણ માને છે ! વારુ ! એ નિયમ અહીં કેમ લાગુ ન કરી શકીએ ? મધ્યસ્થતાનો દંભ :
સભાઃ ત્યાં એમણે ઉપયોગિતા માની છે અને આની ઉપયોગિતા નથી માનતા.
એ નથી માનતા એની તો આ રામાયણ છે, પણ એ ન માને માટે કાંઈ આની ઉપયોગિતા ઓછી જ મટી જાય? મનુષ્યજીવનની ઉપયોગિતા શા માટે છે, એ વાત તો આપણે પણ અહીં મહિના સુધી બતાવી ગયા. એ ઉપરથી વિચારો કે, મનુષ્ય જીવનની સાર્થકતાનો આધાર કઈ વસ્તુ ઉપર ? પેટ ભરવાની વિદ્યા શીખવામાં અને બોલવા-ચાલવાનું શીખવામાં મનુષ્યજીવનની ઉપયોગિતામાં શું તેઓ મનાવી શકે તેમ છે ? અને આ આગમ મનુષ્યજીવન માટે કે જગત માટે પણ ઉપયોગી નથી, અર્થાત્ બીનજરૂરી છે એમ કોણ કહી શકે તેમ છે ? જો ખુલ્લા ચોગાનમાં આવીને એવું કોઈ કહે તો તો ચર્ચામાં રસ આવે.
જૈન સાધુતા, જૈન સાધુતાનો સ્વાંગ, જૈન સાધુતાનું શિક્ષણ, જૈન સાધુતાની રીતિ-નીતિ, રહેણી-કહેણી, આચાર-વિચાર, એને ખીલવનારાં શાસ્ત્રો; આ બધું મનુષ્યજીવન માટે અગર વિશ્વ માટે નિરુપયોગી છે' એવું જો કોઈ જાહેરમાં બોલે તો હું એની સામે બરાબર ઊભો રહું, અને એવું કહેનારને હજારોની સામે હું અસત્યવાદી તરીકે અને બેવકૂફ તરીકે પુરવાર કરી દેવાનું પણ કરું છું; કારણ કે, જૈન સાધુતા વગેરે એવી વસ્તુ છે કે, એનો ઇન્કાર કોઈ પણ સજ્જનથી થઈ શકે તેમ નથી અને એ જ કારણે હૃદયથી નહિ માનવા છતાં પણ આજના વિરોધીઓને પણ દીક્ષા તો સારી, સર્વોત્તમ અને કલ્યાણ કરનારી, આ પ્રમાણે મને કે કમને કહેવું પડે છે ! પ્રથમ આમ લખીને તે પછી વચ્ચે ઉમેરવું હોય તે ઉમેરે છે; પણ ધ્યાન રાખજો કે, તેઓનું એમ લખવું એ કબૂતરને ફસાવવા પારધી જાળ નાંખે તેવું છે.
પહેલાંથી જ જો એને બીનજરૂરી લખે, તો વાંચે કોણ ? ભોળાને વંચાવવા માટે જ તેઓ એવું લખે છે, અને એથી જ આપણે પણ જુદી ઢબે જ ખંડન કરવું પડે છે. વસ્તુ તો એ પણ કબૂલ રાખવાનો, પકડવાનો આડંબર કરે છે, કેમ કે, કરવો પડે છે ! કારણ કે, જૈન સમાજમાં રહેવું જ હોય તો એમ કર્યા સિવાય તેમનો છૂટકો નથી !