________________
31
-
૩ : આશાપ્રધાન સંઘ - 3 -
૩૧
શ્રીસંઘને બીજી “ચક્ર'ની ઉપમા :
હવે શ્રીસંઘ સંસારનો ઉચ્છેદક હોવાથી, સૂત્રકાર મહર્ષિ શ્રીસંઘને ચક્રની ઉપમાથી સ્તવે છે. તે રીતની સ્તુતિ કરતાં, પરમ ઉપકારી સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે : -
જે સંઘરૂ૫ ચક્રને સત્તર પ્રકારના સંયમ રૂપ તુમ્બ છે, બાર પ્રકારના તપ રૂ૫ આરા છે અને સમ્યકત્વરૂપ બાહ્ય પીઠની બાહ્ય ધારા છે, તે શ્રીસંઘરૂપ ચક્રને અમારા નમસ્કાર હો ! જે સંઘરૂપ ચક્રની સમાન કોટિમાં મૂકી શકાય તેવું બીજું કોઈ પણ ચક્ર નથી, તે સંઘરૂપ ચક્રનો સદા જય હો !”
સૂત્રકાર પરમર્ષિ આ ગાથામાં શ્રીસંઘને ચક્રની ઉપમા આપે છે. ચક્ર તે કહેવાય કે જે અરિષ્ટને છેદે. ચક્રવર્તીનું ચક્ર, જો શત્રુ સીધી રીતે ન માને, તો તેનો છેદ કરવા માટે સ્વયમેવ ચક્રવર્તીના હાથમાં આવીને ઊભું રહે, તેમ આ શ્રીસંઘ રૂ૫ ચક્ર પણ સંસારરૂપ દુશ્મનને છેદવામાં સહાયક થાય. આત્માની અનંત જ્ઞાનાદિ લક્ષ્મીને લૂંટનાર આ સંસાર છે. એ સંસારનો શ્રીસંઘ ઉચ્છેદ કરે છે, માટે એ શ્રીસંઘને ચક્રની ઉપમા આપી. સંસારરૂપ શત્રુ સાથે શ્રીસંઘરૂપ ચક્રને મેળ ન હોય. સંસારને છેદવો એટલે લોકને મારવા એમ નહિ, પણ આત્માની સાથે લાગેલા કર્મરૂપ શત્રુઓને છેદવા તે ! સંસાર તો અનાદિ અનંત છે. અનંતા આત્માઓ મુક્તિમાં ગયા પણ સંસાર તો છે જ.
સભા: કેટલાક એમ કહે છે કે-આમ તો સંસાર ખાલી થઈ જાય, તો અનાદિ - અનંત શી રીતે ? " શાસ્ત્ર કહે છે કે-“ભવિષ્યકાલ અનંત છે અને જીવો એનાથી પણ અનંતગુણા છે, માટે “સંસાર ખાલી થઈ જાય તો ?' એવી શંકા કરતા મા !” અભવી થોડા છે તો ભવી પણ એવા ઘણા છે કે-જેઓને ધર્મની સામગ્રી પણ મળવાની નથી.
સભા: કૂવામાં પાણી કોક દિવસ તો ખૂટે ને ?
પરિમિત જળવાળા કૂવામાં ખૂટે, પણ પાતાળકૂવામાં ન ખૂટે. જ્યારે જ્યારે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પુછાય, ત્યારે ત્યારે એક જ જવાબ દેવાય કે : -
. ૧. “સંગમ-તવતુંવાડડરવસ, નમો સમ્મત્તપરિવ7 | ' ' ' ગMડિવવાન્ન નો, સવા સંઘવવિક્સ | બ ||
- નંદિસૂત્ર.