________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
મરીચિએ કહ્યું કે : - “કપિલ ! અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે.” કે તરત જ શાસ્ત્રે લખ્યું કે-‘મરીચિ માર્ગભ્રષ્ટ થયા.” જે શાસન ભગવાન શ્રી મહાવી૨દેવના આત્માની ભૂલની નોંધ લેવી ન છોડે, તે રખડતા ટોળાની ભૂલની નોંધ લેવી છોડે ? ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને જો કર્મસત્તા ન છોડે તો તમને-અમને છોડે ખરી ? એમને પણ શાસ્ત્ર ઉત્સૂત્રભાષી કહ્યા. અને ઉત્સૂત્રભાષણથી તેમનો પણ ‘એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધ્યો.” એમ જણાવ્યું, એ આ શાસન તમને-અમને જતા કેમ કરે ?
૩૦
30
શ્રી સંઘ, એ તીર્થંકર ખરો પણ તેની યોગ્યતા જોવી પડે. જેનામાં સંઘત્વ હોય તે શ્રીસંઘ તીર્થંકર જેવો. પણ એ કશું જ જોયા વિના, જ્યાં ને ત્યાં એ રીતે માથું ઝુકાવીએ, તો તો એ શ્રી તીર્થંકર દેવની આશાતના છે. જે સંઘમાં તીર્થંકરની જેમ પૂજાવા જેવી યોગ્યતા ન હોય, તે સંઘને તેવો માનીએ અને પૂજીએ તો શ્રી તીર્થંકરદેવની આશાતના થાય છે. આ રીતે આશાતનાના ભોગ ન થઈ જવાય તે માટે શ્રી નંદીસૂત્રકારે મંગલાચરણમાં જ, શ્રીસંઘની સ્તુતિ’ કરતાં વિવિધ ઉપમાઓ વડે શ્રીસંઘના સ્વરૂપનું વર્ણન કર્યું છે, તે આપણે જોઈ
રહ્યા છીએ.
પહેલાં તો શ્રીસંઘને નગરની ઉપમા આપી. ઉત્તર ગુણો રૂપી ભવનોથી ખીચોખીચ ભરેલું સંઘરૂપ નગર હોય. એમાં શ્રુતજ્ઞાન સ્વરૂપ રત્નો રૂપી લક્ષ્મી ભરપૂર હોય, એમાં સમ્યગ્દર્શનરૂપી શુદ્ધ શેરીઓ હોય અને એ નગરના ૨ક્ષણ માટે અખંડ ચારિત્ર રૂપી કિલ્લો હોય. આ ચાર ગુણોની જ્યાં હયાતી હોય, તે શ્રીસંઘ કહેવાય. આવા ગુણવિશિષ્ટ શ્રીસંઘની સ્તવના કરતાં સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકગણિજી ફરમાવે છે કે :- ‘હે શ્રીસંઘરૂપ નગર ! તારું કલ્યાણ થાઓ !' કેમ કે-એના કલ્યાણમાં પોતાનું કલ્યાણ માનેલું છે. એના કલ્યાણમાં સર્વનું કલ્યાણ રહેલું છે. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રીસંઘ એ જ કલ્યાણરૂપ છે. શ્રી તીર્થંકરદેવ તો ગયા, પણ શ્રીસંઘને સ્થાપતા ગયા, કે જેથી આપણે સુખપૂર્વક ધર્મની આરાધના કરી શકીએ.
૧. બિનધર્માતમું જ્ઞાત્વા, શિમિજીન્ સ તે નશો । मार्गे जैनेऽपि धर्मोऽस्ति, मम मार्गेऽपि विद्यते ।। ६९ ।। तच्छिष्यः कपिलोऽथाभून्मिथ्याधर्मोपदेशनात् । मरीचिरयब्धिकोटिकोटीसंसारमार्जयत् ।। ७० ।।
- ત્રિ. શ. પુ. ચ. પર્વ-૧૦, સર્ગ. ૧.