________________
૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 -
૨૯ સંયમ અંગીકાર કરી, અપ્રમત્તપણે તેનું પાલન કરી, કેવલજ્ઞાન ઉપાર્જ અને તે પછી ધર્મતીર્થની સ્થાપના કરે, તે જ શ્રી તીર્થંકરદેવ કે બીજા ?
તે વિશ્વતારક શ્રી તીર્થંકરદેવ જેવી પૂજ્યતા કયો સમુદાય પ્રાપ્ત કરી શકે ? શ્રી તીર્થંકરદેવની આજ્ઞા મુજબ વર્તે તે જ કે પોતાની ઇચ્છા મુજબ વર્તે તે ? આથી “શ્રીસંઘ પૂજ્ય કોટિનો નથી.'-એમ કહેવાનો આશય નથી, પણ “શ્રીસંઘ કેવો હોય ? એ વિચારવાની ઇચ્છા છે, કારણ કે અત્યારે તે વિચારવાની અનિવાર્ય આવશ્યકતા ઊભી થઈ છે. પોતાની આજ્ઞા સર્વવ્યાપી બનાવવા ઇચ્છનારે યોગ્યતા મેળવવી જોઈએ. રક્ષણ કરે એ રાજા, પણ ભક્ષણ કરે તે તો નહિ જ. ઘોર ઉપસર્ગ સહી, અનેક તકલીફો વેઠી, કેવળજ્ઞાન પેદા કરી, જગતના ભલા માટે શ્રી તીર્થંકરદેવે જે તીર્થ સ્થાપ્યું એ તીર્થને ઉખેડી નાખે, એને તીર્થકરની જેમ શી રીતે પૂજાય ?
ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીજીએ એક અશ્વને પ્રતિબોધ કરવા, એક રાતમાં સાઈઠ યોજનનો વિહાર કર્યો હતો. એક સામાન્ય તિર્યંચને પણ ધર્મ પમાડવા આવો પ્રયત્ન કરનારા શ્રી તીર્થંકરદેવને માનનાર શ્રીસંઘ, પોતાને તીર્થકર જેવા કહેવરાવનાર સંઘ કેવા પ્રયત્નો કરે તો તે પૂજ્ય ગણાય ? પૂજ્ય કહેવરાવવું બધાને ગમે છે, પૂજ્ય બનવું સૌને ગમે છે, પણ પૂજ્યતા વિના પૂજ્ય બનાય શી રીતે ? શ્રીસંઘને અમે નથી માનતા'-એમ કોઈથી પણ ન જ કહેવાય. શ્રીસંઘ તીર્થકરે જેવો છે એનો ઇન્કાર નથી, પણ શ્રીસંઘ કેવો હોય તો તીર્થકર જેવો કહેવાય ? એ વિચાર તો થાય ને ? આવા સ્વરૂપવાળો શ્રીસંઘ, તીર્થકર જેવો પૂજ્ય છે; એમ કહી શકાય. એની અંતર્ગત અયોગ્યનું ખંડન આવે ત્યાં શો ઉપાય ? જે શ્રીસંઘ, શ્રીસંઘની કોટિમાં જ ન હોય; તે આપોઆપ તેમાંથી નીકળી જ જાય એમાં કોઈ શું કરે ? મનુષ્યપણાનું વર્ણન ચાલે ત્યાં માણસાઈ વિનાના માણસોની બાદબાકી થાય, એમાં આ ચર્ય શું? જો ગમે તેવા ટોળાને જ સંઘ માનવો હોય, તો તો હિન્દુસ્તાનમાં ઘણાંયે ટોળાં છે. મુંબઈ જેવા શહેરમાં રાતે ઠામઠામ ટોળાં મળે છે. આવાં ટોળાંને જ સાક્ષાત્ તીર્થકરની જેમ પૂજ્ય માનવાં હોય તો મંદિરમાં પણ જવાની જરૂર શી ? પણ જ્ઞાની એમ વર્તવાની ના કહે છે. એવા ટોળાને પૂજનારા અમે જડ નથી; અમે તો ચેતનવંતા છીએ. યોગ્યતા હોય ત્યાં બધું માનીએ. શ્રી અરિહંતદેવને પણ અરિહંત તરીકે તો અરિહંત બન્યા ત્યારે જ માન્યા. એમના આત્માએ પણ ભૂતકાળમાં ગત જન્મોમાં જ્યાં ઊંધું પગલું ભર્યું ત્યાં એ પણ સંઘ બહાર ગણાયા. એવું આ શાસન છે.