________________
497 -૩૮ : જૈનશાસનમાં બોલવાનો અધિકાર કોને ? - 38 – ૪૯૭ એવી વસ્તુનું પ્રતિપાદન કરનાર શ્રી જિનેશ્વરદેવના આગમમાં શંકાને સ્થાન જ નથી. પણ આ વાત સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે છે, મિથ્યાદૃષ્ટિઓ અને ભવાભિનંદીપણાથી ભિન્ન આત્માઓ માટે છે, કારણ કે, ઘોર મિથ્યાદૃષ્ટિ તો મરતાં સુધી શંકા કરે જ, કેમ કે, સાચી વાતમાં શંકા ન કરે તો એમનાથી જિવાય જ નહિ.
સ્વભાવસિદ્ધ વસ્તુ સિવાય શાસ્ત્રમાં કાંઈ કહ્યું નથી, એમ સમ્યગુદૃષ્ટિ તો માને છે, એટલે એના માટે સમ્યકત્વમાં દૂષણ લગાડે તેવી શંકાને સ્થાન જ નથી. માર્ગાનુસારીપણાથી સર્વ સંવર સુધી, એટલે કે ચૌદમા ગુણસ્થાનક સુધીની સ્થિતિ તપાસો, એમાં સ્વભાવના પ્રકટીકરણ સિવાય બીજું છે કંઈ ? એમાં જેને બહારનું આવરણ નડ્યું તે ગબડ્યા, માટે બહારના આવરણને જીતવાનું ! '
પૂજા શ્રી જિનેશ્વરદેવની મૂર્તિની કહી, આવા વેષવાળા અને તથાવિધ ગુણવાળા ગુરુની ઉપાસના કહી, સંસાર છોડવાનું કહેનારા શાસ્ત્રની પૂજા કહી, કરવું દાન, પાળવું શીલ, આચરવો તપ અને વિચારવી સદ્ભાવના, આમાં વાંધો ક્યાં ? પણ- આજનાઓ તો એ બધી જ વસ્તુઓને વિપરીત રૂપ
આપવામાં પ્રવીણ છે, એટલે એ લોકો તો છોકરાને દૂધ પાય તેને પણ દાન ગણે • છે, પણ જાણતા નથી કે, એ તો મોહ છે, એ કારણે એમાં ધર્મ મનાવવો એ ખોટું
છે. ઘરની સ્ત્રી માટે સર્જનને લાવે એમાં ઉપકાર નથી, પણ મોહ છે. આથી જ કહું છું કે, અઢારે પાપસ્થાનકના સ્વરૂપને સમજો ! * . તમારા સંતાનને મોક્ષમાર્ગે ચડાવવા દૂધ પાઓ તો એ દાન ખરું, પણ એ છે જ ક્યાં ? આ તો સાંભળે કે, મારા છોકરાને મોક્ષમાર્ગે ચડાવનાર કોઈ મળ્યા છે તો એ સાંભળીને એમને અકળામણ થાય છે, કારણ કે, સ્વભાવ જ જુદી રીતે ટેવાયો છે. વીસમી સદીનું પણ ભાન નથી :
આજના વિરોધીઓ પોતાને જમાનાવાદી ગણાવે છે અને વીસમી સદીમાં જન્મ્યા છતાં વીસમી સદીની નીતિને પણ ભૂલી ગયા છે ! જૈન સમાજમાંના આજના કહેવાતા સુધારકોએ વીસમી સદીની નીતિને પણ નેવે મૂકી છે, કારણ કે, અધિકાર વિના બોલવાની તો આ વીસમી સદી પણ ના જ પાડે છે. - વીસમી સદી પણ કહે છે કે, અધિકાર વિના બોલાય જ નહિ. હોશિયારમાં હોશિયાર વેપાર પણ કોર્ટમાં તો મૂંગો જ રહે, કેસ પોતાનો છતાં મૂંગો રહે, બોલે તો વકીલ જ