________________
૪૯૨
Ae2
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - કરનારા છે, તેઓ વાસ્તવિક રીતે વ્યક્તિના વિરોધી નથી, પણ વસ્તુના જ વિરોધી છે, આમ વિચાર કરતાં સહેજે સમજી શકાય તેમ છે. એ જ કારણે એવાઓ સામાન્ય પ્રકારના મિથ્યાષ્ટિ નથી પણ ઘોર મિથ્યાદૃષ્ટિ છે. અન્યથા તેઓને કોઈ પણ વ્યક્તિ પાસેથી સત્યનો સ્વીકાર કરવામાં હરકત કેમ જ હોય ?
શ્રી જૈનશાસનમાં ગુણના લક્ષ્ય વિનાની કોરી વ્યક્તિગત શ્રદ્ધાને કશું જ સ્થાન નથી. વસ્તુના સ્વીકારવાળી વ્યક્તિમાં જ શ્રદ્ધાને વજન અપાય છે. પાંચ પદનાં નામ, સ્થાપના તથા દ્રવ્ય પણ પૂજાય છે, પણ પદ વિનાનાનાં નામ, સ્થાપના કે દ્રવ્ય પૂજાતાં નથી.
આ ભાઈ પોતાનું નામ “મુનિ' રાખે તો અભુઠ્ઠીઓ ખમાય ? મહાવીર નામના ઘણા માણસ છે, એને શું પગે લગાય છે ? કહેવું જ પડશે કે નહિ; આથી સમજાશે કે, વ્યક્તિને માનવાનો આ શાસનમાં આગ્રહ જ નથી. જે વ્યક્તિમાં વસ્તુ દેખાય તે જ વ્યક્તિને મનાય અને વસ્તુ આવ્યા પછી વ્યક્તિવિરોધ ટકતો પણ નથી. વ્યક્તિ ગમે તે હોય પણ એનું કથન જો સ્વાભાવિક હોય તો વાંધો શું છે ?
આપણે ભગવાન શ્રી મહાવીરદેવને આપણી નજરે જોયા છે ? ના, પણ શાસ્ત્ર દ્વારા આપણે જરૂર એમને જોયા છે. ભલે, એ લોકો ન માને, પણ શાસ્ત્ર દ્વારા એ જેવા હતા તેવા જ આંખ સામે એ દેખાય છે. એટલે જ આપણે જોરશોરથી કહીએ છીએ કે, એ તારકે કહેલી બધી જ વાત સ્વાભાવિક છે પણ કૃત્રિમ નથી, અને ખરેખર જ્યાં કૃત્રિમતા છે ત્યાં જ દુઃખ છે. . અજ્ઞાનતાનાં આવરણ !
તમે સમજો કે, સુખ તો સ્વાભાવિક વસ્તુમાં છે, પણ કૃત્રિમ વસ્તુમાં નથી. આહાર એ આત્માનો સ્વભાવ નથી, પણ નિરાહારીપણું એ જ આત્માનો સ્વભાવ છે; એ જ કારણે આહારમાં દુઃખ છે, અને એથી જ નિરાહારીપણું કે, જે આત્માનો સ્વભાવ છે, તે જ મેળવવાના આ બધા પ્રયત્નો છે. છતે આહારે. પણ નિરાહારીપણું લાવવા માટેની આ બધી મહેનત છે તો કહે કે, વસ્તુ હોવા છતાં પણ એને હૃદયથી ભોગવવી નથી, એ મતના તમે છો ને ? જો એ મતના હો તો જ તમારી અષ્ટપ્રકારી પૂજા વાસ્તવિક રીતે ફળે.
ભગવાન તમારા નૈવેદ્ય આદિના ભૂખ્યા છે, એમ તમે માનો છો ? ભૂલેચૂકે પણ એમ ન માનતા. તમારી બનાવટ ત્યાં સ્થાપિત કરવા માટે નૈવેદ્યાદિ ત્યાં મૂકવાનું નથી, પણ તજવા માટે એ ધ્યેય ધ્યાનમાં રાખો ! તમે આજે બનાવટી