SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ 485 - ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 – ૪૮૫ સભા: માસ્તર બર્વેને, આઠ-નવ વર્ષની વયના માસ્તર બર્વેને સંગીતશાસ્ત્રી ' તરીકે પૈસા ખર્ચીને, એ જ લોકો સાંભળવા જતા હતા. હા, એ તો એમને ગમતું છે એટલે ત્યાં વાંધો હોય ? નહિ જ, કારણ કે, જ્યાં એ લોકોને ફાવતું હોય ત્યાં તો એ લોકો “ગાંડા હાથીને પણ ડાહ્યો કહે, ખૂનીને પણ બિનગુનેગાર કહે, જૂઠાને પણ સાચો કહે, ખોટા દસ્તાવેજ કરનારને પણ શાહુકાર કહે.” કારણ કે, ફાવતી વાત હોય ત્યાં તેમ કરવામાં કશો જ વાંધો નહિ ! પોતાને પૈસા મળે કે આનંદ મળે એટલે વાંધો જ શો ? વર મરે તો એના બાપનો અને કન્યા મરે તો એના બાપની, એમાં ગોરને શું ? એટલે એ તો કહે કે, “વર મરો કે કન્યા મરો. પણ ગોર તણું તરભાણું ભરો !! એવી જ રીતે મનફાવતો આનંદ મળે કે ફી પાકે, એટલે પછી જોવાનું જ શું ? પચ્ચીસ જણાનું કુટુંબ હોય તેમાં એક જણે ખોટું કર્યું હોય, તો ત્યાં બચાવ કરે કે, મારે ને એને સંબંધ નથી અને અંદર ખાતે સંબંધ કાયમ હોય. ખાનગીમાં કહે કે, ભેગા છીએ, પેલાને સંઘબહાર કે નાતબહાર મુકાવે અને પોતે અલગ રહે; આવા એ લુચ્ચા છે. મિલ્કતનો ભાગ લેવા દોડ્યા આવે ! દેવું હોય તો કહી દે કે, દુકાન જુદી હતી. લેણું હોય તો કહે કે, હા “મારો કાકો હતો.” એવા એ વિચિત્ર છે. ધર્મવિરોધીઓની દાંભિકતા? આવાઓને શ્રી જૈનદર્શનનું સાચું જ્ઞાન થાય ? આવાઓ શ્રી જિનેશ્વરદેવનો ધસાચી રીતે પામે ? કહેવું જ પડશે કે, એવી દશા હોય ત્યાં સુધી ન જ પામે. હલ્લ અને વિહલ્લ નામના ભાણજો માટે ચેડા મહારાજાએ આખું રાજ્ય ગુમાવ્યું, પણ શરણાગતને ધક્કો ન માર્યો. અહીં ધર્મ-પરિણામ પામ્યો દેખાય છે. આ તો એવા કે, ખાવાપીવામાં, માલ મારવામાં સાથે અને આપત્તિમાં આઘા. આવા સ્વાર્થીઓ-પ્રપંચીઓ એવી જ દશામાં આવા સર્વશ્રેષ્ઠ શાસનને કેમ જ પામે ? ભયંકર વાત તો એ છે કે, એવા પ્રપંચીઓ પરમાર્થીને પણ પ્રપંચીના રૂપમાં જુએ છે. આજના ઇંદ્રજાળિયાઓ પૂર્વાચાર્યોને ઇંદ્રજાળિયા કહે છે. ઇંદ્રજાળ કરનારા તો પોતે છે, ઘડીમાં ઘોડું અને ઘડીમાં ગધેડું, ઘડીમાં મનુષ્ય અને ઘડીમાં હેવાન, એવા ખેલ ખેલનાર પોતે અને આરોપ મૂકે પૂર્વાચાર્યો ઉપર ? પૈસા માટે સાવધ, પાવતી લેવામાં સાવધ, ત્યાં બધું માને અને અહીં “બરાબર નથી' એમ કહી દે ! માટે જ હું કહું છું કે, એવા તદ્દન સ્વાર્થીઓનું માનવા કરતાં એકાંતે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy