________________
૪૮૪ –
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ દેવનું નામ પણ દે છે. મંદિર, શાસ્ત્ર વગેરેની એકદમ ના પાડીએ તો એકદમ ઊખડી જ જઈએ” એમ માનીને જ એટલું નામ પણ દે છે, બાકી તેઓ એ બધું માને છે એમ માનતા જ નહિ.
એમને પૂછો કે, “દીક્ષા કેવી ?” “દીક્ષા સાચી, તરવાનું સાધન.” – એ વાત કબૂલ કરાવો; કારણ કે, એમ કબૂલ કરતાં કરતાં પણ તરત જ કહેશે કે, દીક્ષાથી જ કેવળજ્ઞાન થાય એમ નથી, ઘરમાં પણ થાય, પત્ની પાસે બેઠાં બેઠાં પણ થાય !” આથી તમારે પણ તરત જ કહેવું પડે કે, “સીધું બોલ દીક્ષા નથી ગમતી. એટલે એ પણ તરત જ કહેશે, સ્યાદ્વાદ ! કારણ કે, જેઓ ખીલે નથી ત્યાં વાત પણ શી? માનવા-મનાવવાની વાતો તો ત્યાં હમ્બગ જ છે, કારણ કે, એ લોક વાસ્તવિક રીતે તો સંસાર અને સંસારની સાધના સિવાયનું કશું માનતા જ નથી. અરે ! પોતાની જાતને પણ માનતા નથી તો ! એમને પૂછો કે, તે દિવસે તે વિચાર હતા ને આજે આ છે !” તો કહેવું પડે કે, ગમાર ! એક દિના વિચારનું ઠેકાણું નથી એ શાસ્ત્રવાદ શી રીતે કરે ? એ તો વાયડો કહેવાય !
આથી જ હું કહું છું કે, એ લોકોની એક પણ વિચારમાં સ્થિરતા નથી. એ લોકોના ચાર-આઠ દિ પહેલાંના, આજના અને બે-પાંચ વર્ષ પહેલાંના બધા જ વિચાર જુદા ! મનુષ્ય જીવનનું ધ્યેય છે તો એમની પાસે નક્કી કરાવો ! જેમ અમારું ધ્યેય છે કે, સંયમી જીવનમાં જ સફળતા છે માટે મરતાંયે ન મૂકીએ, તેમ એ લોકોનું કંઈ પણ ધ્યેય છે? એ પણ બધા સુખના અર્થી તો ખરા જ ને ! તો વિચારો કે, સુખ શાથી મળે ? પત્નીથી કે પૈસાથી ? કહેવું જ પડશે કે, એવી કોઈ જ વસ્તુથી નહિ, કારણ કે, જ્યાંથી સુખ મળે ત્યાં દુઃખ ન જોઈએ એટલે જેનાથી એકને સુખ મળે તેનાથી બીજાને દુઃખ થાય એ સુખનું સાધન નથી, માટે સર્વજ્ઞ પરમાત્માએ ફરમાવેલ સંયમ એ જ સુખનું સાધન છે.
સંયમ પામ્યા તે બધા જ સુખી. જેમણે સંયમ પૂરું સાધ્યું તે અનંત સુખી થયા. જેટલે અંશે સંયમની સાધના તેટલે અંશે નિયમા સુખ છે. જો આમ જ છે તો પછી દીક્ષા એ સુખનું સાધન નક્કી છે, તો શાસ્ત્ર જ્યારથી એની યોગ્યતા કહી તે વય છોડીને એની નવી વય નક્કી કરવાનું કારણ શું ? એ જ કે, વસ્તુતઃ તેવાઓ એ વસ્તુને સુખનું સાધન માનતા જ નથી !
સભાઃ સાહેબ ! અઢાર વર્ષ પહેલાંનાને તો એ લોકો અજ્ઞાની કહે છે. *
એમ કહેનારા એ અજ્ઞાનીઓને ખબર નથી કે, પચાસ વર્ષનાની બુદ્ધિને પણ ટક્કર મારે તેવી પણ બુદ્ધિ બાળકોમાં હોય છે.