SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 ૪૭૯ વસ્તુને વર્ણવતાં નિશ્ચયાત્મક પણ કહે, નિશ્ચયાત્મક ન જ કહે એમ પણ નથી, પણ અપેક્ષાઓ હૃદયમાં રાખીને જ કહે. અપેક્ષાઓ રાખ્યા વિના કહે એ ન ચાલે : આથી જ ‘એક અક્ષરને ન માનવામાં હરકત શી ?' એમ શ્રી જૈનદર્શનમાં ન બોલાય. 479 જે શાસ્ત્રમાં થોડું પણ ખોટું એ આખું ખોટું, માટે તો દ્વાદશાંગી અને તેને અનુસરતા શ્રુતને સમ્યક્શ્રુત કહ્યું અને બાકીનાને મિથ્યાશ્રુત કહ્યું; આથી મિથ્યાદૃષ્ટિ શાસ્ત્રોમાં કશુંયે સારું નથી જ એમ નથી, પણ જે થોડું ઘણું પ્રભુ શાસનમાંથી ગયેલું સારું છે, તે પણ ખોટાથી ખરડાયેલું છે માટે જ નકામું છે. ખોટાની ભેળું સારું ભળ્યું, એથી સારાંનો પણ ઇન્કાર કર્યો, તો અહીં સારામાં જો ખોટું ભળે તો તે ફેંકી દેવું પડે, એમાં શું આશ્ચર્ય ? એટલા માટે તો નિષ્નવોને બહાર મૂક્યા, કારણ કે, સારામાં ખોટું ન નભે; માટે તો આજે શ્રીસંઘના સ્વરૂપનો વિચાર ચાલે છે. ચારે પ્રકારનો શ્રીસંઘ અખંડિત છે, પણ પ્રભુના શ્રીસંઘમાં સંઘના નામે લૂંટારુઓ ન જ ભળવા જોઈએ. શ્રીસંઘના હાથે તો જે કામ થવું જોઈએ તે જ થાય. ‘આટલું કરવામાં હરકત શી ?' એમ ત્યાં ન જ ચાલે. શ્રી જિનેશ્વરદેવના માર્ગથી વિરુદ્ધ જતી એક પણ વસ્તુ શ્રીસંઘથી ન જ થાય. પણ આજે તો આચારાંગ માનું પણ એમાંનાં અમુક પાનાં ન માનું, એમ કહેનારા ઉલ્લંઠો પણ શ્રીસંઘમાં ભળવા અને રહેવા માંગે છે ? પણ એવાઓ કોઈ પણ પ્રકારે શ્રીસંઘમાં ન તો ભળી શકે કે ન તો રહી શકે, કારણ કે, શ્રી આચારાંગ સાચું તો 'પછી તેનાં જ પાનાંમાં ઝે૨ આવ્યું ક્યાંથી ? પણ વાત એ છે કે, ફાવતું જ લેનારા ઉન્મત્તો અમુક ભાગોને ઉડાડવા જ માંગે છે. મૂર્તિને નહિ માનનારાઓએ તે વાત કરતાં તેર આગમ ઉડાડીને બત્રીસ માન્યાં એમાં પણ જાણ્યું કે, બત્રીસ આગમ પણ માન્યાં તોયે ફસ્યા, કારણ કે, મૂર્તિની વાત તો એમાં પણ રહી ગઈ, એટલે હવે અમુક પાઠો એમાંના અમુક આજે બહાર કાઢે છે અને એ બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે એમ સંભળાય છે !!! જો બત્રીસને માનવાની ના કહે, તો એ દુનિયામાં પણ રહેવાય નહિ એટલે માનવાં ખરાં, પણ અમુક કાઢીને જ એવી વાત હવે થાય છે, પણ શ્રી જૈનદર્શનનાં સૂત્રોની સંકલના જ એવી છે કે, એમાંનું કંઈક પણ કાઢ્યા પછી જરૂર તૂટ્યું દેખાશે !!!! અને કહેવું પડશે કે, વિચ્છેદ છે !!!!! દ્રવ્ય-ભાવજ્ઞાન-ક્રિયા ઉભયાત્મક જૈનદર્શન ઃ દેવલોક, દેવતાનાં નામ, દેવતાની કરણી અને દેવતાની દ્રવ્ય જિનપૂજાને
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy