________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
સામાન્ય રીતે આંકમાં પણ પહેલાં એકથી નવ આંકડા હોય અને દશમું મીંડું. તે પછી બધીયે એની જ કારીગરી; એ સિવાય નવું કાંઈ જ નહિ, કારણ કે, ગમે તેવી મોટી રકમમાં પણ એ જ પ્રથમના નવ અને દશમું મીઠું એ સિવાય કંઈ જ મળે નહિ, એટલે અગિયાર વગેરે જાણવા માટે પહેલાં દશ આંકડા ઘૂંટવા પડે, પછી પરસ્પરના જોડાણથી શું થાય તે જાણવું પડે ત્યારે આંક આવડે. એ રીતે અહીં પણ શરૂઆતથી મૂળ અને પછી બધી યોજના.
૪૭૮
478
ભાષાનું જ્ઞાન મેળવવા માટે પણ ઘૂંટવું પડે, ગોખવું પડે, જોડણી ગોખવી પડે, લખવું પડે, વાંચવું પડે, અર્થ જાણે, એમ કરતાં કરતાં હોશિયાર થાય ત્યારે પ્રોફેસરનાં ભાષણ સાંભળવાને લાયક થાય છે, પણ પહેલેથી ત્યાં જાય તો ? નકામો. તેમ અહીં પણ કોઈ કહે કે, ‘મૂળ જ માનું, બીજું ન માનું’ – તો એ કેમ નભે ?
આથી જ ઉપકારીઓ કહે છે કે, ‘સૂત્રનો એક પણ અક્ષર જે ન માને તે મિથ્યાદૃષ્ટિ' કારણ કે, પ્રભુશાસનમાં યથેચ્છપણું• એક અણુભર પણ પછી ભલે તે ગમે તેવાનું હોય તો પણ ચાલી શકે તેમ નથી, કારણ કે, સર્વજ્ઞપ્રધાન એવા શ્રી જૈનશાસનમાં છૂટીછવાયી મનફાવતી વસ્તુનું વર્ણન નથી, પણ એ તો સર્વાંગ સંપૂર્ણ છે, સર્વ નયાત્મક છે. સાતે નયો શ્રી જૈનદર્શનમાં છે પણ એક નય કે જે બાકીનાની અપેક્ષા નથી રાખતો, તે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં નથી.
એકાંતવાદમાં મિથ્યાત્વ :
વળી શ્રી જૈનશાસન કહે છે કે, એકલો જ્ઞાનવાદી મિથ્યાદૃષ્ટિ છે તેમજ એકલો ક્રિયાવાદી પણ મિથ્યાદ્દષ્ટિ છે, તેવી જ રીતે નિરપેક્ષ રીતે આત્માને નિત્ય જ અનિત્ય જ કહેનારો પણ મિથ્યાદ્દષ્ટિ જ છે. આત્મા વિભુ જ છે અગર તો અણુ જ છે. એમ માનનાર પણ મિથ્યાદૃષ્ટિ છે; આથી સ્પષ્ટ જ છે કે, શ્રી જૈનશાસનમાં સંપૂર્ણ ધર્મમય વસ્તુ માનેલી છે.
દુનિયામાં પણ બધાં અંગો ભેગાં થાય તો જ અખંડ શરીર કહેવાય, પણ સઘળાંય અંગોપાંગ, જુદાં જુદાં રખાય તો શરીર ન કહેવાય. એક આંગળી પણ ન હોય તોયે એ ખંડિત કહેવાય, નાક ન હોય, કાન કે આંખ ન હોય તો પણ ખંડિત જ કહેવાય. અર્થાત્ એક પણ અંગહીન ન ચાલે. તેમ ભિન્ન ભિન્ન નયની. માન્યતા શ્રી જૈનદર્શનની નથી. પણ સર્વ નયની માન્યતા શ્રી જૈનદર્શનની છે.
‘આ વસ્તુ આવી જ’ એમ એકાન્તે જૈનદર્શન ન કહે, પણ આવી પણ હોય અને આવી પણ હોય' એમ કહે. વસ્તુના મુખ્ય ધર્મને કે સર્વ ધર્મમય