________________
૪૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 472 પેલા તો સાહ્યબી ભોગવે, એમનાં તો કપડાં પણ બગડે નહિ, તમને તો બજારમાં જોયા હોય તો પાણી નીતરે. કપડાં મેલાં હોય. વૈતરા પકડી લાવ્યા હોય એના જેવો દેખાવ, આ શાથી? એ ખૂબ વિચારો અને હજી પણ કહું છું કે, દુર્ભાવનાઓ અને ખોટી લાલસાઓ છોડો તથા જ્ઞાનીઓની આજ્ઞા મુજબનું પુણ્ય સાધો અને પાપ છોડો, સંતોષી બનો તથા જીવનને નિયમિત બનાવો તો ચાર-છ મહિનામાં જ તમને નવો અનુભવ થશે. ધર્મ કરો એનાથી જ કલ્યાણ છે, પણ વગર રાજ્ય રાજ્યના લોભિયા આ મળેલું કેમ જ મૂકે?
ઈર્ષાખોર કૂતરાની જાત એવી હોય છે કે, વસ્તુ મોંમાં હોય અને બીજો બીજી વસ્તુ ખાય એટલે પોતાના મોંમાંનું પડતું મૂકી ત્યાં જાય, એટલે આયે જાય અને તેય ન મળે, આ દશા છે. બીજાને ત્યાંના ગ્રાહકોને “શી શી' કરી બોલાવે એટલે ઘણીવાર એનું એ જાય અને આનુંએ જાય. ભાગ્ય ઉપર પણ ભરોંસો નહિ આ તમારી તેવી દશા છે. જેઓની વગર રાજ્ય આ દશા છે, તેમને રાજ્ય મળ્યા પછી શું થશે ? હું મારી જોખમદારી સમજીને બોલું છું:
સભા: એ લોકો કહે છે કે, “આજે ધર્મ પાળી શકાય જ નહિ !' પણ સાહેબ! . એવાઓને નહિ સાંભળવા જ સારા છે !!!
બોલનારે સાબિત કરવું જોઈએ ને ? કોઈએ પણ તે જ બોલવું જોઈએ કે જે સાબિત થાય. હું મુંબઈને ઓળખું છું, મુંબઈગરાઓને જાણું છું એ લોકો કઈ વખતે શું કરે એ પણ સમજું છું. એ હું મારી જોખમદારી સમજીને જ બોલું છું. એમ ન માનતા કે, એમ ને એમ બોલાય છે અને બોલીને ગયા પછી મોટા વિચાર કરવા પડે છે. અહીં કશું ઊંઘમાં નથી બોલાતું. બધું જાગૃતિમાં જ બોલાય છે. કાયદાની બારીકીમાં મને ફસાવવાના દાવ ખેલાય છે, એ પણ હું જાણું છું. પણ આ શ્રી જૈનશાસનના પ્રતાપે, મારા શ્રી જિનેશ્વરદેવના શાસનના પ્રતાપે એ બધાથી હું નિર્ભય છું. શ્રી જૈનશાસનની એ ખૂબી છે:
મારો સ્વામી જ એવો છે કે, મને પૂરેપૂરો બચાવે. મારા સ્વામી ઉપર, મારા આગમ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે એથી હું સર્વથા નિર્ભય છું, છતાંય અશુભના ઉદયે આપત્તિ આવે એ વાત જુદી છે, બાકી તો આ પરમશુદ્ધ પ્રભુશાસનની સેવામાં બરાબર રહેવાય તો તો મોટો ચમરબંધી પણ વાળ વાંકો ન કરી શકે. દુનિયાના કાયદાઓથી પણ ભરેલું આ શાસ્ત્ર છે. આની પાસે