________________
41 --- ૩૬ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 – ૪૭૧ સામાયિકાદિક કરે છે. તમે તો “હાય બાપ પૈસો એમ કરો છો; માટે ધર્મ નથી સાધી શકતા.'
જેને ઉલ્લંઠો ગાળો દઈ રહ્યા છે, ત્યાંથી તેવાઓ શીખવા લાયક ગુણ શીખ્યા ? એની કોઈ પણ ફિક્સ અગિયાર પહેલાં તથા છ પછી ખુલ્લી નહિ હોય, રવિવારે તથા તહેવારે ખુલ્લી નહિ હોય તો કહે કે, “કામગરા તમે વધારે કે એ? જોખમ તમારે વધારે કે એને ?” વેપારી તો કહે છે કે, “સવારે સાત વાગે દુકાન ઉઘાડું છું, રાતે દશ વાગે બંધ કરું છું, એટલે પૂજા શી રીતે કરું અને વ્યાખ્યાનમાં કઈ રીતે આવું ?' એવાએ વિચારવું જોઈએ કે, “સામાને અનાડી અને અનાર્ય કહેનારો હું કેવો?” આવો વિચાર એક ક્ષણ પણ નહિ કરનારાનો ખરેખર જ દિ' ફર્યો છે.
હું કહું છું કે, કોઈની રિદ્ધિ-સિદ્ધિ જોઈને બળવું અને કોઈ અજ્ઞાનીઓના ચઢાવ્યાથી ચડી જવું બંધ કરી તમારી પોતાની સ્થિતિને એવી અજબ કેળવો, એટલે કે, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ વર્તતાં શીખો કે, જેથી તમારા અંતરમાં સુખની ઇચ્છા નહિ રહે અને સુખ તમારા ચરણમાં લોટતું આવશે; પણ એ દશા આવવી એ ખરે જ દુર્લભ છે. એ દશા આવશે ત્યારે તો એક જ દશા આવશે કે, ગમે ત્યાંથી પણ સારી વસ્તુ શીખવાની આપોઆપ જ તાકાત આવશે. * વિચારો તો ખરા કે, આવી સાહ્યબી ધરાવનાર પણ દરેક કામ કેવું ટાઇમસર કરે છે ? કદી અપવાદની વાત જુદી, બાકી તો ટાઇમસર જ કામ. . અધિકારી કે અમલદાર જે આવે તે તાજો જ લાગે, પણ એમાં નવાઈ શી ?
અઢાર કલાકની નિવૃત્તિ મળે એટલે તાજા જ હોય ને ! પણ તમે તો મુડદાલ ? સાત વાગ્યાના ઊઠેલા રાત્રે અગિયારે ઘેર આવો, અને ઘેર પણ ઉપાધિ હોય . જ !! માંડ માંડ બાકીના કલાક આળોટીને ગાળો, સવારે આંખો ચોળતા ઊઠો,
સ્ટવ સળગાવી ચા વગેરે પીને બનાવટી જાગૃતિ લાવીને પાછો જા !!! એવા તમે તાજા બનો શી રીતે ?
જેને તમે અનાર્ય માનો તે પણ આટલા નિયમિત ! અને તમારી આ દશા, એ શું ઓછું શોચનીય છે ? “યુરોપિયનની દુકાને દરેક વસ્તુ પર ભાવ લખેલા હોય, કશી માથાફોડ જ નહિ. એના લાંબા ચોપડા નહિ, ઉઘરાણી નહિ, એને આસામી તૂટે નહિ.” એ શું ? આવું શીખ્યા ? તમારે તો કાચો ખરડો, પાકો ખરડો, ખાતાવહી, ઉઘરાણી અને કેટલીય ધાંધલ ? એક બાજુ લાખના સવાલાખ કરો અને બીજી બાજુ બે લાખ ગુમ થયા, આ તમારી દશા છે.