________________
૪૬૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -- - સંખ્યાના નામે આજ્ઞાને ગૌણ ન કરાય ?
સભાઃ સાહેબ ! તો તો સંખ્યા ઘટે !
એની હરકત શી? કારણ કે, એવી સંખ્યાનો મુમુક્ષુઓને એક રતિભર પણ મોહ નથી; એ જ કારણે શ્રીસંઘનું વર્ણન કરતાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્પષ્ટ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે
एगो साहू एगा य, साहुजी सावयो व सड्डी वा.। ...
आणाजुत्तो संघो, सेसो पुण अद्विसंधाओ ।।१।। ભાવાર્થ : “એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા - આ ચાર જ હોય, પણ જો એ આજ્ઞાયુક્ત હોય તો તે સંઘ છે; પણ જો બીજો સમુદાય મોટો પણ હોય પણ તે આજ્ઞારહિત હોય તો તે હાડકાંનો જ ઢગલો છે.”
આથી સ્પષ્ટ જ છે કે, લાખો કે કરોડો હોય તેની હરકત નથી, પણ તે આજ્ઞાને સ્વીકારનારા જોઈએ; પણ આજ્ઞાની સામે થનારા તો તે ન જ જોઈએ, એવાઓ તો લાખોની કે કરોડોની સંખ્યામાં હોય તો પણ ભયંકર છે, એટલે કે, આજ્ઞાપાલક થોડા પણ સારા અને આજ્ઞાની સામે થનારા ઘણા પણ ભયંકર છે, માટે સંખ્યાનો હાઉ ધરીને આજ્ઞારુચિને ઉડાવવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી.
દુનિયામાં શિક્ષકની નજર જમણા હાથના પહેલા નંબર પર હોય કે ડાબા હાથના ? બધા ડાબા નંબરિયા જ હોય તો ?. અર્થાત્ બધા રમતિયાળ, અટકચાળા અને ઠોઠ હોય તો માસ્તર પણ રાજીનામું આપે, પણ શાણો શિક્ષણ પોતાની આબરૂ ન જ બગાડે. ભણાવતી વખતે પણ માસ્તર જમણા હાથના છોકરાઓ તરફ જ ખાસ જુએ. પેલા તો સાંભળવું હોય તો સાંભળે, ન સાંભળવું હોય તો ન સાંભળે; એ ઘોંઘાટ કરે ત્યારે જરા ચૂપ રહેવાનું કહી દે. ઘણા નિશાળિયા એવા હોય છે કે, વર્ષો સુધી ડાબા હાથે રહે, નાપાસ થાય, માબાપો માસ્તરને સમજાવીને કે લંચ-રુશવતથી ઉપર ચડાવરાવે, વળી પાછા ડાબા હાથે હવા ખાય. એવા આ રીતે ઉપર જાય તો પણ નકામા.
એ જ રીતે આ વીસમી સદીના વિષયાધીન જીવોને કેવળ નાટકચેટક અને સિનેમા વગેરે જોવામાં આનંદ આવે છે. એમાંના કેટલાકને તો ત્યાં દુનિયાનાં પાત્રોને જોવામાં સંતોષ ન થયો, તે હવે પોતાનાં તારક પાત્રોને પણ ત્યાં ઉતારવા માંગે છે.
નાટકચેટક અને સિનેમા વગેરે જોયા પછી એ બધું જોનારને એની. બદબોનું ઘેન પ્રાયઃ ઊતરતું નથી, એથી જ કેટલાક તો એમાં ને એમાં જ સડી