________________
૩૬ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36
ગયા, શક્તિ ક્ષીણ થઈ ગઈ. મનની દશા પામર બની ગઈ અને એવાઓનું મગજ સદાય ઘૂમતું જ રહે છે. એવા પામોને પછી શ્રી જિનમંદિર, ઉપાશ્રય, સાધુ, પૂજા, સામાયિક વ્યાખ્યાન આ બધું ગમતું જ નથી. ખરેખર, વિષયરસિક જીવોની ભાવના વિષયમાં જ તરબોળ હોય છે.
467
652
કુપાત્રો જોઈને એમનો આત્મા બહેકી ગયેલો હોય છે. એવાઓને ધર્મ કેમ જ ગમે ? જે પામરો નાટકની ભૂમિ ઉપર પોતાના તારકોને પણ લઈ જવાને ઇચ્છે છે, તેવાઓને વિષયના વિલાસી સિવાય બીજું કયું ઉપનામ આપી શકાય ? પાંચ ઇંદ્રિયના ત્રેવીસ વિષયો છે અને એના પેટા ભેદો અનેક છે. વિષયની લાલસામાં પડેલા, વિલાસી બનેલા, મોહવ્યગ્ર બનેલા અને મારાતારામાં જ મરી રહેલાઓ ઉપર આ શાસનથી પણ ઉપકાર ન થાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. એથી એવા પામો ખાતર શાસનમાં ફેરફાર કરવાની વાત સંભવી જ ન શકે.
સભા સાહેબ ! એક મુનિ કહે છે કે, ‘દુવિહારમાં ચાહ-દૂધની છૂટ જો મૂકવામાં આવે તો ઘણા લોકો પ્રતિક્રમણ કરે માટે તેમ થાય તો સારું !
શું આવા પણ દ્વેષધારી પડ્યા છે ? ત્યારે તો કોઈ એમ કહે કે, ‘ફાવે ત્યાં સુધી દીક્ષા પાળું' તો એવાને દીક્ષા પણ અપાય ? નહિ જ, માટે કહું છું કે, ખરેખર, એવા લોકોની તો અક્કલ જ બહેર મારી ગઈ છે; કારણ કે, અજ્ઞાન પામરોને આવી છૂટો અપાય તો તો પચ્ચખ્ખાણ જ ન ૨હે. આથી જ શાસ્ત્ર કહે છે કે, જે આવે તે ખરા, ઓછા આવે તો ઓછા, ન આવે તો નહિ સહી, પણ તે શુદ્ધ માર્ગમાં શાસ્ત્રને બાધ લાગે તેવો ફેરફાર ન જ થાય.
પોસહ કરનારે ચાર પ્રહર કે આઠ પ્રહર સામાયિકમાં રહેવું જોઈએ; એ કાયદો છે, પણ એમાં કોઈ મોટો આદમી, મોટો વેપારી કહે કે, ‘પોસહ તો કરું પણ-તાર-ટપાલ વાંચવાની છૂટ રાખું' તો એ છૂટ અપાય ? નહિ જ, અને અપાય તો તો પરિણામ એ જ આવે કે, સ્વાધ્યાયાદિકને ઠેકાણે તાર-ટપાલ જ ભેગી થાય; આથી સમજો કે, શાસ્ત્રીય મર્યાદાનું મહત્ત્વ ઘણું ઊંચું છે, માટે એમાં પરિવર્તન ન જ થવું જોઈએ.
‘આ સ્થાનમાં કોઈ બીડી નથી પીતા, પાન નથી ખાતા' એનું કારણ એ છે કે શ્રી જૈનશાસનની એ મર્યાદા છે અને એના જ યોગે પાન ખાનારા પણ થૂંકીને આવે છે, પણ હવે એવાઓને એવી છૂટ અપાય તો ? પરિણામ ભયંકર આવે એમાં નવાઈ જ શી ? કારણ કે, વ્યસની તો એવા છે કે, બહાર નીકળતાં જ પાન ખાશે,