SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ 403 ' – ૩૬ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 - ૪૬૩ નહિ પણ ભવ્ય જ્યાં સુધી દુર્ભવ્ય કે ભારે કર્મી હશે ત્યાં સુધી સામગ્રી મળવા છતાં પણ મોક્ષે ન જ જાય. સભા: તો શું ભવ્ય પણ અભવ્ય ? ના, એમ ન કહેવાય; કારણ કે, ભવ્ય જીવોમાં મોક્ષગમનની યોગ્યતા છે, પણ સામગ્રીના અભાવે અને દુર્ભવ્યપણું કે ભારેકર્મીપણું હોય ત્યાં સુધી સામગ્રી મળવા છતાં પણ મોક્ષે ન જાય. જેમ માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે, પણ બધી માટીના ઘડા ન બને. “સ્વયંભૂરમણ' નામના અંતિમ સમુદ્રની માટી ઘડા બનાવવા માટે લાવે કોણ ? વળી અભવ્ય તો મગમાં કાંગડું જેવા ઘણા થોડા છે અને ભવ્ય તો ઘણા છે, પણ જે દુર્ભવ્ય કે ભારેકર્મી નહિ હોય તેને જ્યારે સામગ્રી મળશે ત્યારે તે મોક્ષે જશે. ઘણા આત્માઓ એવા છે કે, જેમને સામગ્રી પણ નહિ મળે. એવા આત્માઓ જાતિભવ્ય કહેવાય છે અને દુર્ભવ્યો તે જ કહેવાય છે કે, જે ઘણા કાળે પણ નક્કી મોક્ષમાં જવાના છે. . સામાન્ય વ્યવહારમાં જે “દુર્ભવ્ય” તથા “દુર્લભબોધિ' કહેવાય છે, તેના ઉપર બહુ આધાર નથી, કારણ કે, તે તો સામાન્ય રીતે વિપરીત બાહ્ય આચરણાઓ જોઈને કહેવાય છે; પણ ભગવાન જેને દુર્ભવ્ય કે દુર્લભબોધિ કહે, ત્યાં તો માનવાનું છે કે, એને નક્કી બોધિ પ્રાપ્ત થવાની છે. ભલે એને તકલીફ થાય, સમય લાગે પણ થાય નક્કી ! અને એવાઓ ઉપર શ્રી તીર્થંકરદેવોથી પણ એકદમ ઉપકાર ન થાય, એટલે શ્રી તીર્થંકરદેવો પણ યોગ્યતા હોય એની ઉપર જ ઉપકાર કરી શકે છે. પણ અન્ય ઉપર નહિ. ' શું શ્રી તીર્થંકરદેવની શક્તિ અનંત છે માટે એ તારક જે જે હિંસા કરનારાઓ છે તેને પકડીને બંધાવે ખરા ? અસંખ્યાતા ઇંદ્રો સેવામાં છે, એમને હિંસકો વગેરેને પકડવાનું કહે ? બળાત્કારે હિંસા ન કરવાની એમના ઉપર ફરજ પાડે ખરા ? એ તારકની સભામાં ચોર, ખૂની, બદમાશ બધા હોય, અને ભગવાન જાણે પણ ખરા, છતાં પણ કહે ખરા ? નહિ જ, કારણ કે, જ્ઞાનીઓની ઉપકારની પ્રવૃત્તિ જ લોકોત્તર હોય છે. આપણે અનંતજ્ઞાનીએ કર્યું તેમ નહિ પણ કહ્યું તેમ કરવાનું. સભા: કુમારપાળ મહારાજે તો એવું ઘણું કર્યું છે તેનું શું ? | શ્રી કુમારપાળ મહારાજા છબસ્થ હતા એટલે તેમને પોતાની ઇચ્છા મુજબ કશું જ કરવાનું હોતું નથી, પણ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ કરવાનું છે એથી તે પરમાત, પ્રભુઆજ્ઞાને બધા જ પહોંચે એવી જ રીતે વર્યા છે અને શક્તિ મુજબ સારામાં સારી રીતે પ્રભઆજ્ઞાનું પાલન પણ કર્યું છે. જ્ઞાનીઓ તો તરત
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy