________________
૪૬૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
જ કહું છું કે, કર્મની ગુલામી તજો અને સરળ બનો તથા તેવા બની વસ્તુને વસ્તુરૂપે સ્વીકારો.
462
કુદરતી વસ્તુમાં પરિવર્તન કરવાની શક્તિ નથી, એમ કહેવામાં શ્રી જિનેશ્વરદેવોને પણ હરકત નથી આવી, કારણ કે, તેમ કહેવામાં અનંત શક્તિને કશી જ હાનિ નથી પહોંચતી. સાચી શક્તિ જ તે કહેવાય છે કે, જે શક્તિ યોગ્ય વસ્તુ ઉપર અસર પહોંચાડે અને જેનો ઉચિત અને હિતકર રીતે ઉપયોગ થાય.
એથી જ વર્તમાનમાં જગજાહેર રીતે એક બળવાન માણસ એમ કહે કે, ‘હું તો એવો બળવાન છું કે, રસ્તામાં જતાં હજારોને કાપી નાખું, શક્તિ મળી છે તો એનો ઉપયોગ કેમ ન કરું ! તો સ૨કા૨ એને ઓરડીમાં જ બેસાડે અને કહી દે કે, ‘તને શક્તિનો ઉપયોગ કરતાં આવડતો નથી માટે આ જ સ્થાન તારા માટે યોગ્ય છે.’ એવી કોટડીને જ યોગ્ય ગણી શકાય તેવા આજના કેટલાક ભણેલાઓ પણ કહે છે કે, ‘અમે ભણ્યા અને અમને જીભ મળી તો અમે કેમ ન બોલીએ અને કેમ ન લખીએ ?' આવાઓને શાસ્ત્ર કહે છે કે, ‘ભણ્યા અને જીભ મળી એ ગમે તેમ બોલવા અને લખવા માટે નહિ જ. તમે ગમે તેમ બોલતા કે લખતા હો તો તેના કરતાં તમે મૂંગા જ રહો, એમાં જ તમારું અને બીજાનું હિત છે, કારણ કે, તમને લખતાં કે બોલતાં નથી આવડતું ! ધ્યાનમાં રાખજો કે, શક્તિનો ઉપયોગ સ્વ-પરના હિત માટે કરાય પણ અહિત માટે ન જ કરાય. મળેલી શક્તિનો ઉપયોગ કોઈની હાનિ માટે ન જ થવો જોઈએ. જેટલા પ્રમાણમાં આદમી સમજે છે; તેટલા પ્રમાણમાં તો આજની સ૨કારે પણ અંકુશ મૂક્યો છે.
‘તમારી તિજોરીનું તળિયું કાણું હોય તે તમારો દીકરો જાણે કે નહિ ? અને એને બોલતાં પણ આવડે કે નહિ ?' કહેવું જ પડશે કે, જાણે પણ અને બોલતાં પણ આવડે, છતાંય તે બહાર બોલી આવે તો શું થાય ? એ જ કે, ભયંકર નુકસાન થાય; માટે જ તે જાણવા છતાં અને બોલતાં આવડવા છતાં પણ ન જ બોલી આવે, કારણ કે, એને એ પ્રકારે યોગ્ય તાલીમ આપવામાં આવી છે. એ જ રીતે આ બાબતમાં પણ ‘શક્તિનો ઉપયોગ થતો હોય ત્યાં જ થાય' આવા પ્રકારની યોગ્ય તાલીમ લેવી જ જોઈએ માટે એ વાત ખૂબ ખૂબ સમજી રાખો કે, શક્તિવાનની શક્તિ સ્વભાવ ફેરવવામાં કામ ન જ આવે.
પરમ ઉપકારી અને પરમવીતરાગ એવા શ્રી તીર્થંકરદેવો ઉપકારી ખરા, પણ તે ભવ્ય જીવોના, તેમાં પણ યોગ્ય ભવ્યના કારણે કે, ઘણા ભવ્ય જીવો પણ એવા છે કે, જે સામગ્રી નહિ મળવાના કારણે મોક્ષે નહિ જ જાય, એટલું જ