________________
27
–
- ૨ : આરાધક, એ સંઘ ! - 2
૨૭
- આ શ્રીસંઘ નગરના રક્ષક કોણ ? અખંડ ચારિત્રધર ! પોલા પાંગળા ત્યાં ન ચાલે; ધ્વજને પડવા ન દે એવા જોઈએ. ઓઘો, એ ધર્મ-ધ્વજ છે. ઓઘો તો રૂઢ શબ્દ છે પણ અસલ નામ તો ધર્મધ્વજ છે.
આ ધર્મધ્વજ ષટુકાય જીવરક્ષક છે. આ ધ્વજ હાથમાં લે, તેને જૈનશાસન રોમેરોમ પરિણમેલું હોવું જોઈએ ! એવા શ્રીસંઘરૂપ નગરનું સૂત્રકાર મહારાજા કલ્યાણ ઇચ્છે છે. તે પછી શ્રીસંઘને સૂત્રકાર મહારાજા બીજું રૂપક ચક્રનું આપે છે, કારણ કે-ચક્ર જેમ દુશ્મનને છેદનાર છે, તેમ આ શ્રીસંઘરૂપ ચક્ર સંસારરૂપ શત્રુનો છેદ કરનાર છે. શ્રીસંઘને ચક્ર તરીકે સૂત્રકાર મહર્ષિ કઈ રીતે ઘટાવે છે, તે હવે પછી.