________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
મુદ્દો એ છે કે-સારી ક્રિયા કોઈ કરે તેની સામે ચાર ગાંડા બૂમો મારે તો એના ૫૨ વજન ન આપો. બહારનું લખાણ ધ્યાનમાં ન લ્યો. સંઘનું પ્રકરણ આટલા માટે ચાલુ કર્યું છે. એને ચોખ્ખું કર્યા વિના છૂટકો નથી. આ બધું સમજે તેને માટે છે. ઇતરને પણ બતાવવું જોઈએ કે-અમારી લડત અન્યાયની નથી, પણ સનાતન સત્ય વસ્તુની રક્ષા માટેની છે. મારી-મચડીને દીક્ષા અપાયેલી કોઈ બતાવે છે ? પૂર્વે તો એ રીતે પણ અપાઈ હતી, પણ એ જેને અપાતી તે કુળવાન હતા. અત્યારે એમ તો નથી ને ? બાળકને વેપારમાં સાધનભૂત વિદ્યા ભણાવવા તો મારપીટ કરો છો, કલ્પી લીધેલા હિત માટે તમને જો છૂટ હોય તો વાસ્તવિક હિત માટે અમને છૂટ કેમ નહિ ?
સભા હાડકાં ખસેડીને પણ દીક્ષા આપી છે.
૨૬
26
અત્યારે તો એમ નથી ને ! છતાં ઘોંઘાટ શાનો ? જેટલી વાતો વિરોધી કરે, એ તમામની સામે છાપામાં મોટા અક્ષરે ચેલેંજ આપો કે-“અત્યાર સુધી વિરોધીઓએ કરેલી દલીલ જો તેઓ એને શુદ્ધ રીતે સાબિત કરે, તો અમે તેને શરણે જવા તૈયાર છીયે. વર્તમાનમાં અપાતી દીક્ષા, તે શાસ્ત્રદૃષ્ટિએ અયોગ્ય સાબિત કરે તો બંધ કરવા તૈયાર છીએ.”-મોટા અક્ષરે આખું પેજ ભરાય તેવી રીતે આવી ચેલેંજ છપાવો. એક મહિનાની મુદત રાખો: જો તે મુદતમાં ચેલેંજ ઝીલનાર ન નીકળે, તો બીજાઓને કહો કે-આવા અધમ આત્માઓની વાત ન માનો ! આવી જાહેરખબર છાપો તો એ છાપાં પણ પ્રતિપક્ષીને સ્થાન નહિ આપે; કહેશે કે-ત્યાં જાઓ, ખુલ્લી ચેલેંજ છે. અમને પણ આબરૂ વહાલી છે. હવે અમે જો તમારા આવા લેખો લઈએ તો લાંચિયા કહેવાઈએ ! પેટભરા પેપરની કિંમત નથી; પ્રામાણિક પત્રોની આ વાત છે. પેટ માટે જેમ વેપા૨ી અનીતિ કરે છે, તેમ પેટભરાં જૈન-જૈનેતર પત્રો ગમે તે લખે, તેની કશી જ કિંમત નથી. આટલું કરવા છતાં કોઈ ન સમજે અને બગડે તો એનું ભાગ્ય. દુનિયાનો ઠેકો આપણે રાખ્યો નથી. પ્રામાણિક પત્રોમાં-વજનદાર પત્રોમાં આપણો અવાજ બહાર મૂકી દેવો જોઈએ.
હવે નગરનું વર્ણન યાદ રાખો. જામનગર ન સમજતા ! સંઘનગરની વાત છે. આખા હિંદુસ્તાનનો ચતુર્વિધ શ્રીસંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘ. એ શ્રીસંઘરૂપ નગર ગુણરૂપ મકોનાથી ખીચોખીચ ભરેલું હોય, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી ભરપૂર હોય, એ નગરમાં જવા માટે સમ્યગ્દર્શનરૂપી જે શેરીઓ છે, તેની ધૂળ પણ સંસારની અસારતા પોકારતી હોય, અને લૂંટારા ન ફાવે-ન પેસે તે માટે એ નગરની ફરતો અખંડ ચારિત્રરૂપ કિલ્લો હોય છે.