SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 25 ૨ : આરાધક, એ સંઘ ! - 2 સભા : પંચાવન. આવા દરેક રીતે સુયોગ્ય આત્મા સંયમ લે, તેમાં પણ તેમની ઉપર પણ જુલમ કરનનારાઓ જુલમ કર્યા વિના રહ્યા નથી. બે વખત કપડાં ખેંચ્યાં, ઓઘો લઈને ભાગી ગયા, પોલીસ આવી ત્યારે કહે છે કે-અમે જાણતા નથી.’ જેને પોલીસનો ભય, તેને આ ઓઘાનો ભય નથી, અને તે શ્રીસંઘ ? આવી નીચતા આચરે તેને સંઘ મનાય ? આખી લડતનું મૂળ ‘ધર્મને ઉલટાવવો’ એ છે. તમે લડતના મૂળને સમજ્યા નથી. આ દશામાં પણ ધર્મી વર્ગ ઉચિત આચરણ ન કરે, એનો અર્થ એ કે-ધર્મ પરિણમ્યો નથી. બધું સળગ્યા પછી બંબાવાળા આવે એમ ? મહેનત કરવા છતાં ન બચાવાય તો પણ મહેનત કરનારાની મહેનત તો સફળ જ છે. `સભા : ૨૫ દીક્ષા લેનાર નાનો હોય તો પણ સંઘ આડે ન આવે. પણ એમ હોત તો તેઓના મનઃસંતોષ ખાતંર (કારણ કે-વસ્તુતઃ તે દયા જ નથી) ક્ષણભર માનત કે-દયા આવી, પા આવા વૃદ્ધ ઉપર પણ જુલ્મ કર્યો ! દીક્ષાની ચર્ચામાં શાસ્ત્રીય મુદ્દાનો સવાલ હોય તો એને પહોંચાય, પણ આને પહોંચાય ? ઓઘો લઈ ગયા એથી કાંઈ મીશ્રીમલજી ઓછા જ ગભરાય ? કદી જ નહિ. તેઓ પોતાની પેઢીને પણ ઉપાશ્રય જેવી બનાવી શકતા, તેઓ ગ્રાહક સાથે પણ ધર્મની વાત કરતા, પોતાની પાસે આવનારો પામી જાય, એ એમની ભાવના, એકે એક સાધુના એ પરિચિત અને નાનામાં નાના સાધુનું વ્યાખ્યાન પણ તેઓ પ્રેમથી સાંભળતા હતા. આવા સગૃહસ્થની દીક્ષામાં તોફાન કરનારા પણ કરે, એનો અર્થ તો એ જ કે-તેઓને ધર્મ જ જોઈતો નથી. આ તો કહે છે કે-અમારા હુકમ માનો. પણ એ ભૂલે છે. ખોટા હુકમ નહિ માનવા માટે તો આજે હિન્દુસ્થાનમાં લડત ચાલે છે. જૈન શાસ્ત્ર વિરુદ્ધની આજ્ઞાને કોઈ પણ ધર્મપ્રેમી ઓછો જ માને ? જ્યારે સામાન્ય ધર્મપ્રેમી પણ ન માને, તો પછી મુનિવરો તો શાના જ માને અને માને તો પૂજ્યપણું રહ્યું ક્યાં ? શ્રી સાગરજી મહારાજ આટલા ઘોંઘાટ વચ્ચે રહ્યા અને પોતાની કનડગતની દરકાર ન કરતાં જામનગરમાં ડંકો વગાડી દીક્ષા કરીમાર્ગરક્ષા કરી, એમને તો શ્રીસંઘે માનપૂર્વક વધાવી લેવા જોઈએ. ધમાલ સહીને . પણ દીક્ષાનો માર્ગ જામનગરમાં રૂઢ કર્યો. વરઘોડામાં તો સૌ ચાલે; પણ ધમાધમના સ્થાને શાંતિપૂર્વક ચાલે એ ખરો. એની બહાદુરીનાં વખાણ થાય. ૧. ૫. શ્રી અભયસાગરજી મહારાજના સંસારિક મોટા ભાઈ મહોદયસાગરજી મહારાજની દીક્ષાની આ વાત છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy