________________
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
"श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि ।” મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો બહુ વિદનવાળાં હોય છે.'
દુનિયામાં પણ દુનિયાએ માનેલાં મંગળ કામનાં મુહૂર્ત હોય, પણ અમંગળ કાર્યમાં નહિ. જમાલી, કે જે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વાવસ્થાના જમાઈ અને ભાણેજ થાય, તથા ત્યાગી અવસ્થામાં શિષ્ય થાય, તે પણ ભગવાનથી વિરુદ્ધ થઈ નિર્નવ બન્યા એથી ભગવાનની કોઈએ અપકીર્તિ ન કરી, કારણ કે-એ કાંઈ ભગવાનનો દોષ ન હતો. દોષ જમાલીનો પોતાનો હતો. અર્થાતુ-શ્રી સર્વજ્ઞ એવા વીતરાગદેવનું પણ ન માનનારા તે વખતે હતા, તો આજે આગમને પણ ન માનનારા હોય તેમાં નવાઈ શી? પડતાનાં દૃષ્ટાંત ન લેવાય. કોઈ પૂછે કે- કેમ ગયા ?' તો એનો ઉત્તર એ જ કે-એનું ભાગ્ય ફૂટ્ય માટે !” મંદિરમાં જનારો અયોગ્ય હોય એથી કાંઈ મંદિર અયોગ્ય ન ગણાય. આજની તો કેટલાક એમ જ કહે છે, કારણ કે તે બિચારાઓનો તીવ્ર અશુભોદય થયો છે.
શ્રી સંઘરૂપ નગર ગુણરૂપ મકાનોથી ગહન હોય, શ્રુતજ્ઞાનરૂપી રત્નોથી ભરેલું હોય, ત્યાંની સમ્યગુદર્શન રૂપ વિશુદ્ધ શેરીઓની ધૂળ પણ સંસારને અસાર કહે, કે જે શેરી દ્વારા નગરમાં જવાય અને એ નગરના રક્ષણ માટે અખંડ ચારિત્રરૂપ કિલ્લો હોય. આમાં મૂળ ગુણ, ઉત્તર ગુણ, સમ્યગુદર્શન અને શ્રુતજ્ઞાન-આ ચાર સિવાય બીજું કંઈ છે ? આ જેનામાં હોય તે શ્રીસંઘ, ન હોય તે સંઘ બહાર; આ ચાર જેનામાં હોય તે શ્રીસંઘ પૂજ્ય. એવા શ્રીસંઘને જે ન પૂજે તે પ્રભુશાસનની બહાર અને આથી ઊંધા સંઘને પૂજે તે પણ પ્રભુશાસનથી બહાર ! ઘર તથા વ્યવહાર સાચવવા માટે પણ આવા ઊંધા સંઘને પૂજશો મા ! અત્યારે પાંચ-દશ પડખે હશે, પણ માની લો કે તમે એકલા હો, ઘરને તાળાં મારી ભાગવું પડે તેવી સ્થિતિ હોય, તો તે હા ! પણ અયોગ્યને શરણે તો ન જવાય. આ હઠ નથી પણ પવિત્ર પ્રતિજ્ઞા છે, એમ નિશ્ચયપૂર્વક માનવું અને તેના પાલનમાં સ્થિર રહેવું એમાં જ આત્મકલ્યાણ છે. શ્રી સાગરજી મ.ને માનપૂર્વક વધાવવા જોઈએ?
હમણાં દુઃખ થાય તેવા બનાવો બને છે. જામનગરના પ્રસંગમાં તો બાળદીક્ષા નહોતી ને ! "મીશ્રીમલજી રતલામના એક આગેવાન ગૃહસ્થ છેઃ એમનું વર્ચસ્વ ત્યાં ઘણું છે, સમજદાર એવા કે ઊભા થાય અને બોલવા માંડે તો. સારામાં સારી અસર ઉપજાવે. તેઓના દીકરાઓ પણ સારા અભ્યાસી છે. વય પણ એવી કે-મસ્તક ઉપર એક પણ કાળો વાળ નથી. ૧. જેઓને દીક્ષા અવસ્થામાં પૂ.મુ.શ્રી મલયસાગરજી મહારાજ નામ રાખવામાં આવ્યું હતું: