SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - - 458 દુનિયામાં પ્રાણી કયા માર્ગથી મુક્તિમાં જઈ શકે; કારણ કે, દુનિયાને ગમે તેવું કહેવાની એ પરમતારકોની ઇચ્છા નહોતી. મોક્ષનો માર્ગ હોય તે જ કહેવાનો એ પરમતારકોનો સ્વભાવ છે. ચંચરી આંખવાળો પ્રકાશ ખમી શકશે કે નહિ એ કાંઈ સૂર્યને જોવાનું નથી. સૂર્યનો સ્વભાવ તો પ્રકાશ આપવાનો છે. જેનાથી તેનો પ્રકાશ સહન ન થાય તે ભોંયરામાં જાય અગર તો એનાથી બચવાના અનેક ઉપાયો શોધે, પણ. એણે “પ્રકાશ કેમ કર્યો ?” એમ ફરિયાદ કરવાનો અધિકાર વાસ્તવિક રીતે કોઈને જ નથી. આ સત્ય વસ્તુસ્થિતિને નહિ સમજી શકનારા આજના કેટલાક તદ્દન . અજ્ઞાન લોકો કહે છે કે, “શ્રી જિનેશ્વરદેવે બધાને બંધબેસતો માર્ગ કેમ ન કહ્યો?” પણ એવું કહેવાનો એ તારકોનો ઇરાદો જ નહોતો. એ પરમતારકોનો તો સ્વભાવ જ એ કે, મોક્ષમાર્ગ જે હોય તે જ કહે. લાઇટ થાય એટલે થાંભલા વગેરે હોય તે દેખાય. કંઈ ઊડી જાય કે આવીને વળગી જાય એમ નથી; તે જ રીતે કેવળજ્ઞાનરૂપ લોકાલોક પ્રકાશક સૂર્યનો પ્રકાશ થયા પછી એટલે કે, પરમ વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી શ્રી ધર્મતીર્થની સ્થાપના એ સ્વભાવસિદ્ધ છે; માટે ત્યાં શંકાને સ્થાન જ નથી. સ્વાભાવિક ગુણમાં એટલે કે વસ્તુના સ્વરૂપમાં શંકા કરવી એનો અર્થ તો એ જ કે, વસ્તુસ્વરૂપની કશી ગમ જ નથી. કર્મરૂપ મળ સાફ થાય એટલે આત્માનો સ્વભાવ પ્રગટ થવાનો છે. ત્યાં આશ્ચર્ય ત્યારે જ નહિ થાય કે જ્યારે આત્મસ્વભાવ જણાશે. નિગોદનો આત્મ પણ મુક્તિમાં કેમ જાય એ પ્રશ્ન ન થાય, કેમ કે, એ તો આત્માનો સ્વભાવ જ છે. સંપૂર્ણ આવરણ ખસે કે તરત જ આત્મા મુક્તિપદે જાય. તારક તીર્થકર દેવો પણ યોગ્યને તારી શકે ! વર્ષોનો ચઢેલો કાટ પણ બળવાન ઘસનાર ઉતારે તો કાટ કેમ ઊતરે કે કેમ ઊતર્યો, એ ન પુછાય. જે રીતે ભવ્ય આત્માનો સ્વભાવ મુક્તિએ જવાનો છે, તે જ રીતે અભવ્ય આત્માઓનો સ્વભાવ મુક્તિ કે મુક્તિનાં સાધનો યથાસ્થિતપણે નહિ પામવાનો છે અને એ સ્વભાવનું પરિવર્તન કરવાની શક્તિ તો શ્રી જિનેશ્વરદેવોમાં પણ નથી. એવી ઘણી વસ્તુઓ છે કે જેમાં પરિવર્તન શ્રી ને જિનેશ્વરદેવો પણ કરી શકતા નથી; એ જ કારણે તમે જાણો છો કે, શ્રી સુધર્મા ઇંદ્ર એક ક્ષણ આયુષ્ય વધારવાનું ભગવાનને કહ્યું, પણ ભગવાને જણાવ્યું કે, આયુષ્ય વધારવા કે ઘટાડવા તીર્થંકરદેવો પણ સમર્થ નથી. અનંત શક્તિના
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy