________________
457 – ૩૬ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 – ૪૫૭ પરમાત્માએ ફરમાવેલા મોક્ષમાર્ગમાં શંકાદિ પાંચ દોષોમાંથી એક પણ દોષ ન જોઈએ. શંકા વગેરે પાંચે દોષોમાં પ્રથમ દોષ શંકા છે અને એ જ પ્રાયઃ કાંક્ષા આદિ દોષોને ઘસડી લાવનાર છે, માટે મોક્ષના અર્થી સમુદાયે શ્રી જિનેશ્વરદેવના વચનમાં એક રતિભર પણ શંકા ન કરવી જોઈએ અને એ જ કારણે આપણે એ વસ્તુને, કે જે વસ્તુ તદ્દન સત્ય છે, તેને સમજાવી રહ્યા છીએ કે, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શંકાને કોઈ કારણ નથી, કારણ કે, એ તારકોએ જે જે વસ્તુ જે જે સ્વરૂપે હતી, તે તે વસ્તુને તે તે સ્વરૂપે જ કહી છે.
જેમ સૂર્ય કાંઈ નામના માટે કે કોઈની પ્રેરણાથી કે પોતાની ઇચ્છાથી પ્રકાશ કરતો નથી, તેમ જ પરમ વીતરાગ શ્રી જિનેશ્વરદેવો પણ જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, તે નામના માટે, કોઈની પ્રેરણાથી કે ઇચ્છાથી કરતા નથી. જેમ સૂર્યમાં પ્રકાશ કરવાનો અને વૃક્ષમાં છાયા આપવાનો સ્વભાવસિદ્ધ ગુણ છે, તેમ શ્રી તીર્થંકરદેવોમાં પણ ધર્મતીર્થ સ્થાપવાનો સ્વભાવ છે.
સભાને કે દુનિયાને રૂચે તેવું જ કહેવાનો પરમોપકારી અને પરમ વિતરાગ શ્રી જિનેશ્વરદેવોએ વિચાર કર્યો જ નથી. એવો વિચાર તો તેને જ કરવો પડે છે, જેને કાંઈક નવું જ બતાવવું હોય કે કંઈક નવું જ ઉપજાવી કાઢવું હોય.
વ્યવહારમાં પણ એ વાત સમજી શકાય તેવી છે કે, વેપારીને જ ભાવતાલ કરવા પડે છે. પણ દાતારોને ભાવતાલ જોવા પડતા નથી. એ જ રીતે જેને પોતાની ખ્યાતિ કે પૂજા, પ્રભાવના આદિ માટે કહેવું છે, તેને જ એ જોવું પડે કે, હું કહીશ તે દુનિયાને રૂચશે કે નહિ રૂચે, પણ એ સાચા તારકોને તો એવું કશું જ ન હતું, એ જ કારણે એ તારકોએ તો તારનારી જે ચીજ હતી તેને દુનિયા પાસે મૂકી દીધી, એટલે એના યોગે જે પુણ્યશાળી લઘુકર્મી આત્માને તરવું હોય તે તરે.
દુનિયામાં પણ નિસરણી બાંધનાર, ચડનાર માણસ તરફ જુએ કે માળ ૧. 'તરફ ? ઊંચે મજલે પહોંચવા માટે કરવાની નિસરણી ઉપર પગથિયાં કરવા માટે ઘરડા, દમિયલ અને ન ચડી શકે એવા કેટલા છે એ ન જ જોવાય, કારણ કે, પચ્ચીસ હાથ ઉપર રહેલા માળ માટે ચોવીસ હાથની નિસરણી ચાલે નહિ. કેમ કે, નીચી નિસરણી થાય તો પહોંચાય જ નહિ, માટે જેટલે દૂર માળ હોય એટલી જ ઊંચી નિસરણી જોઈએ. આથી એ વાત સ્પષ્ટ જ છે કે, આદમીને જોઈને નિસરણીનું માપ ન કરાય પણ એ માપ તો માળને આધીન છે. નિસરણીને ઢળતી કરવી હોય તો પાંચ હાથ ઊલટી વધારવી પડે, પણ આદમી તરફ ન જોવાય. એ જ રીતે પરમ ઉપકારી શ્રી તીર્થંકરદેવોએ ધર્મતીર્થની સ્થાપના કરતાં, બધા આને સ્વીકારશે કે નહિ એ ન જોયું. પણ એ જ જોયું કે,