________________
૪૪૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ઇચ્છતા એવા સાધુઓને દુઃખી તરીકે ભાળે છે; આ શું એ પામરોની ઓછી. કમનસીબી છે ? દુઃખમાં સબડનારા તેઓ પરમસુખમાં ઝીલી રહેલા મુનિવરોની ઠેકડી કરે, એ એમનું હીણભાગ્ય નહિ તો બીજું છે પણ શું ?
446
એક સાંધે અને તેર તૂટે એવી દશામાં એમનાં જીવન તમે જુઓ, તો તમને લાગે કે, મનુષ્યજીવનમાં જન્મેલા એ બિચારા નારકીઓ જેવા છે ! જે જીવનમાં સંતોષ એ પ્રધાન ગુણ જોઈએ, કોઈને જરા પણ હાનિ કરીને આ ક્ષુદ્ર પેટ્ ભરવાની ભાવના જ ન જોઈએ, કેવળ ત્યાગના પાયા ઉપર જ જે જીવનની કિંમત અંકાય છે, તે જીવનમાં ઘોર પાપ કરનારા અને ત્યાગના સંહારની પ્રવૃત્તિ કરનારા મનુષ્યો પ્રાયઃ નરકગામી હોવાથી નારકી જેવા છે, અને એથી . જ સદાય ૫૨મ દુ:ખી છે, માટે જ તેઓને જૈનકુલમાં જન્મવા છતાં પણ નારી હશે કે નહિ, એવી શંકા થાય છે.
એમાંનો એક તો કહે છે કે, ‘મગજની ખરાબ દશા એ જ નરક.’ કૂવાના દેડકા જેવા એમને સ્વર્ગ અને નરક પણ અહીં જ દેખાય છે. એકાદી મોટર વગેરેમાં સ્વર્ગ દેખાય છે અને નહિ જેવા દુઃખમાં નરક દેખાય છે. એવાઓના માટે અહીં જ સ્વર્ગ-નરક હોય એમાં આશ્ચર્ય શું છે ? એ પામરો પોતાના પાપનો તો હિસાબ કરતા જ નથી ! ગોઠવી ગોઠવી જૂઠું બોલે, કેટલાયને ગરદન મારે, વિશ્વાસઘાત કરે, અનેક પ્રકારના અનાચારો સેવે, એ બધાં પાપોનો એ લોકોને મન કોઈ હિસાબ જ નથી. હવે એ પાપનું ફળ અહીં પૂરું મળતું નથી, તો એનું ફળ પૂરું મળવા કોઈ સ્થાન હોય કે નહિ ?
તેઓને પૂછો કે, તમે લોકોએ તમારાં પાપોની ગણતરી કરી છે .? વાવેલા ઘઉં ઊગે, બાજરી ઊગે, ફળ ઊગે અને શું કરેલાં પાપ નહિ ઊગે ? આથી જ હું તેઓને કહું છું કે, તમારો પાપોદય હોય અને અન્યને ઠગતા હો તો તમે જાણો, પણ તમે લોકો તમારા આત્માને તો ન જ ઠગો. ભયંકર પાપની કાર્યવાહીનું ફળ નરક છે, એમાં જરાયે શંકા ન કરતા. અને એ વાત માનો કે ન માનો, પણ તમને પણ તેનું ફળ તો મળશે જ મળશે, માટે ખૂબ સાવધ રહેવાની જરૂ૨ છે. દુનિયામાં ‘માન ન માન પણ મેં તેરા મેહમાન' એ રીતે પણ મેમાન થનારા હોય છે, તેમ તેઓ માને કે ન માને પણ ન૨ક છે તે કાંઈ ચાલી જવાની નથી, કારણ કે, નરક કાંઈ એમના માનવા ઉ૫૨ ૨હી છે એમ નથી જ. દુનિયાનું ચક્કર કંઈ તેઓના આધારે નથી ચાલતું, કે જેથી એવાઓ નારકીને કે આત્મા વગેરેને હમ્બગ કહે એટલા માત્રથી એ થઈ જાય.
સભા એ લોકો કહે છે કે, નરકનો હાઉ બતાવે છે !