SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ 44s - ૩૫ ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૪૫ તેટલું જ દુઃખ અને હૃદયથી તેનો જેટલો વિયોગ થાય તેટલું જ સુખ. એ પણ જો હૃદયમાં રહેવા છતાં ભાગી જાય તો તો દુઃખ, માટે તો એ વિયોગને અશુભોદય કહ્યો; કેમ કે, દુનિયા એ ઇચ્છતી નથી; આથી સ્પષ્ટ છે કે, જ્યાં સુધી બહારના સંયોગો હૃદયથી ત્યાગ કરવા પૂર્વક બહારથી વિખૂટા ન કરાય અથવા વિખૂટા ન થાય, તો આત્મસ્વરૂપમાં લીન ન રહેવાય અને તેમ ન થાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ ન થાય. નરક નથી' એમ કહેવાથી શું વળે? આવું સત્ય દર્શાવનાર શાસનમાં શંકાને અવકાશ જ ક્યાં છે? આની સામે આ વાત અંતરને રૂચતી નથી માટે નથી માનતા' - આ પ્રમાણે કહેનાર સામે આપણે એક પ્રશ્ન ધરીએ છીએ કે, “દુનિયાની સઘળી ક્રિયાઓ શું તમે હૃદયપૂર્વક કરો છો ?” કહેવું પડશે કે નહિ. કારણ કે, ત્યાં તેઓને પણ હૃદય વિના ઘણાં જ નહિ પણ પ્રાયઃ બધાં જ કામ અનિચ્છાએ કરવાં પડે છે. ત્યાં અંતરઅવાજને મારવો જ પડે છે. કારણ કે, મોટરમાં બેસવું એ તેવા સૌને ગમે છે, છતાં તેઓ પગથી ચાલે છે તે શું વૈરાગ્યથી ? નહિ જ. એવી જ રીતે મજુરી કે નોકરી કરાય છે, અનેકને સલામો ભરાય છે, તે મને કે કમને ? જો કમને જ, તો મન વિના એ બધું થાય. તો માત્ર આ (ધર્મ) ન થાય, એમ કેમ? - અંતરઅવાજ ઉપર વજન મૂકનારાઓને હું સારી રીતે ઓળખું છું, કારણ કે, તેઓના અંતરઅવાજની કિંમત છે જ ક્યાં? તેઓનું અંતર તો શહેનશાહનું સિંહાસન લેવાનું છે, પણ ભાગ્ય વિના શહેનશાહનું જુત્તી પણ મળતી નથી અને "મળવાનીયે નથી, એ સુનિશ્ચિત છે. આખી દુનિયાની મિલકત પોતાની તિજોરીમાં હોવાનું તેઓનું અંતર તો ઇચ્છે છે, પણ છે ક્યાં ? કહેવું જ પડશે કે, એવા પાગલોની આશાનો અંત નથી ! ઇચ્છાની અવધિ નથી !! અને ત્રુટિ નથી !!! તેઓનાં વખાણ કરાય શી રીતે ? તેઓ જે રોટલા ખાય છે તે પણ રોટલી નથી મળતી તેથી ! ઇચ્છા તો ઝબોળી-ઝબોળીને ખાવાની છે, પણ મળે ક્યાંથી ? ડગલે અને પગલે તેવાઓને દુઃખ છે, કારણ કે, તેઓની ઇચ્છાથી એક પાંદડું પણ હાલતું નથી. આ ઉપરથી સ્પષ્ટ છે કે, અંતર અવાજ ઉપર નાચનારાઓની ચોવીસે કલાકની તમામ કાર્યવાહી પ્રાયઃ ઇચ્છા વિનાની જ હોય છે, પણ ગુલામીમાં એવા ટેવાયા છે કે, તેમને એ ગુલામી ગુલામી જ લાગતી નથી અને એથી જ પોતે દુઃખમાં રિબાતા, સડી રહેલા અને સળગતા હોવા છતાં તુચ્છ વસ્તુઓની ગુલામી તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આરાધી રહેલા અથવા તો આરાધવાને
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy