________________
44s - ૩૫ ઃ જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35 – ૪૪૫ તેટલું જ દુઃખ અને હૃદયથી તેનો જેટલો વિયોગ થાય તેટલું જ સુખ. એ પણ જો હૃદયમાં રહેવા છતાં ભાગી જાય તો તો દુઃખ, માટે તો એ વિયોગને અશુભોદય કહ્યો; કેમ કે, દુનિયા એ ઇચ્છતી નથી; આથી સ્પષ્ટ છે કે, જ્યાં સુધી બહારના સંયોગો હૃદયથી ત્યાગ કરવા પૂર્વક બહારથી વિખૂટા ન કરાય અથવા વિખૂટા ન થાય, તો આત્મસ્વરૂપમાં લીન ન રહેવાય અને તેમ ન થાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ ન થાય. નરક નથી' એમ કહેવાથી શું વળે?
આવું સત્ય દર્શાવનાર શાસનમાં શંકાને અવકાશ જ ક્યાં છે? આની સામે આ વાત અંતરને રૂચતી નથી માટે નથી માનતા' - આ પ્રમાણે કહેનાર સામે આપણે એક પ્રશ્ન ધરીએ છીએ કે, “દુનિયાની સઘળી ક્રિયાઓ શું તમે હૃદયપૂર્વક કરો છો ?” કહેવું પડશે કે નહિ. કારણ કે, ત્યાં તેઓને પણ હૃદય વિના ઘણાં જ નહિ પણ પ્રાયઃ બધાં જ કામ અનિચ્છાએ કરવાં પડે છે. ત્યાં અંતરઅવાજને મારવો જ પડે છે. કારણ કે, મોટરમાં બેસવું એ તેવા સૌને ગમે છે, છતાં તેઓ પગથી ચાલે છે તે શું વૈરાગ્યથી ? નહિ જ. એવી જ રીતે મજુરી કે નોકરી કરાય છે, અનેકને સલામો ભરાય છે, તે મને કે કમને ? જો કમને જ, તો મન વિના એ બધું થાય. તો માત્ર આ (ધર્મ) ન થાય, એમ કેમ? - અંતરઅવાજ ઉપર વજન મૂકનારાઓને હું સારી રીતે ઓળખું છું, કારણ કે, તેઓના અંતરઅવાજની કિંમત છે જ ક્યાં? તેઓનું અંતર તો શહેનશાહનું સિંહાસન લેવાનું છે, પણ ભાગ્ય વિના શહેનશાહનું જુત્તી પણ મળતી નથી અને "મળવાનીયે નથી, એ સુનિશ્ચિત છે. આખી દુનિયાની મિલકત પોતાની તિજોરીમાં હોવાનું તેઓનું અંતર તો ઇચ્છે છે, પણ છે ક્યાં ? કહેવું જ પડશે કે, એવા પાગલોની આશાનો અંત નથી ! ઇચ્છાની અવધિ નથી !! અને ત્રુટિ નથી !!! તેઓનાં વખાણ કરાય શી રીતે ? તેઓ જે રોટલા ખાય છે તે પણ રોટલી નથી મળતી તેથી ! ઇચ્છા તો ઝબોળી-ઝબોળીને ખાવાની છે, પણ મળે ક્યાંથી ? ડગલે અને પગલે તેવાઓને દુઃખ છે, કારણ કે, તેઓની ઇચ્છાથી એક પાંદડું પણ હાલતું નથી.
આ ઉપરથી સ્પષ્ટ છે કે, અંતર અવાજ ઉપર નાચનારાઓની ચોવીસે કલાકની તમામ કાર્યવાહી પ્રાયઃ ઇચ્છા વિનાની જ હોય છે, પણ ગુલામીમાં એવા ટેવાયા છે કે, તેમને એ ગુલામી ગુલામી જ લાગતી નથી અને એથી જ પોતે દુઃખમાં રિબાતા, સડી રહેલા અને સળગતા હોવા છતાં તુચ્છ વસ્તુઓની ગુલામી તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આરાધી રહેલા અથવા તો આરાધવાને