________________
૪૪૦
-
440
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ લાગતો, તો પછી આ લોકોત્તર શાસનમાં અંતરઅવાજ કેમ જ કામ લાગે ?
અંતરઅવાજ અંતર મુજબ હોય. એટલે અંતરમાં જ ભર્યું હોય તે જ નીકળે. સ્વાદિષ્ટ કે ખરાબ ઓડકાર આવે તે પેટમાં પડેલા માલ જેવો જ ને ? એ જ રીતે અંતરમાં જેવી ભાવના હોય તેવા જ ઉદ્દગાર નીકળે. વળી દરેકનો અંતરઅવાજ એ જ ધર્મ કહેવાય તો અંતર અવાજ કોને નથી? માટે એ વસ્તુ જ અયોગ્ય છે.
ધ્યાન રાખો કે, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શંકાને સ્થાન નથી એની આ સાબિતી ચાલે છે; એથી જ કહેવું પડે છે કે, જ્યાં બનાવટી વસ્તુ કહેવાની હોય ત્યાં પ્રશ્ન સંભવે, પણ સ્વાભાવિક વસ્તુમાં પ્રશ્ન જ શા ? આ ઝૂમર હાલે તો. પ્રશ્ન જરૂર થાય છે, કેમ હાલ્યો ? કેમ કે, એ ક્રિયા પરપ્રેરિત છે ! પણ પવન. કેમ ચાલ્યો ? એ પ્રશ્ન કોઈએ કર્યો ? નહિ જ, કારણ કે, દુનિયા પણ સમજે છે કે, પવન તો હાલે જ. ઝાડનું એક પણ પતું ન હાલે ત્યારે દુનિયા કહે છે કે, આજે પવન નથી, પવન હોત તો પત્તાં જરૂર હાલત; આથી બનાવટી ચીજોમાં પ્રશ્નો થાય પણ સ્વભાવસિદ્ધ વસ્તુમાં પ્રશ્નો ન હોય. ,
શ્રી જિનેશ્વરદેવો તો જે વસ્તુ જેવી હોય છે તે વસ્તુ તેવી જ કહે છે. એટલે હોય તે નીકળે, ન હોય તે એ તારકના મુખમાંથી નીકળે જ નહિ. વળી મનને વશ કરવામાં ધર્મ કે મનને વશ થવામાં ધર્મ? મનને વશ કરવામાં, એમ જ કહેવું પડશે. એટલે અંતરઅવાજ આપોઆપ જ નીકળી જશે અને અંતરઅવાજ ઉપરથી નહિ ઊપજેલું, પણ કેવલજ્ઞાન થયા પછી તીર્થકર નામકર્મના પ્રતાપે સ્થાપિત થયેલું હોવાથી શ્રી જિનેશ્વરદેવનું શાસન બનાવટી નથી, એની એક પણ વાત ઉપજાવી કાઢેલી નથી. એ જ કારણે એ તારકોની આજ્ઞા મુજબ જ લખાયેલા પ્રાચીન મહર્ષિઓના ગ્રંથોમાં સ્વાભાવિક વિચારના ધોધ છે; જ્યારે એ તારકોની આજ્ઞાથી દૂર રહીને લખાતાં આજનાં એકેએક લખાણો પ્રાયઃ બનાવટી જ હોય છે એમાં નક્કરપણું કશું જ નથી હોતું; એમાં માત્ર ઉપર ચળકાટ પણ અંદર તો પોલાણ જ હોય છે, કારણ કે, એવા લોકો તો જનતાને જોઈને તેને રૂચે તેવું જ લખે છે અને બોલે છે એનું કારણ એ જ છે કે, આજનો જમાનો એમ કહે છે કે જ્ઞાનીઓ ગમે તેમ કહેતા હોય તે બાજુ ઉપર રાખો, પણ આમને જોઈને જ લખો-બોલો, ત્યારે શાસ્ત્ર કહે છે કે, જે વસ્તુ જેવી હોય તેવી લખો-બોલો.
અમુક પોતાને દાનવીર કહેવરાવતા હોય તો જમાનો કહે કે, એને એવા કહો, પણ શાસ્ત્ર કહે છે કે, ભલે એનો તિરસ્કાર ન કરો. પણ જો એ દાનવીર