________________
441
---
૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી - 35- ૪૪૧
હોય તો માનો; અને ન હોય તો ન માનો. કારણ કે, ગોલા પણ રાણા કહેવાય અને પ્રતાપ પણ રાણા કહેવાય. પણ એ બેમાંથી સલામ કોને ભરાય ? એ વિચારો.
સભા સંઘનામ બનાવટી ધારે તો ?
એવાને સંઘ ન જ મનાય, કારણ કે, એ સંઘ એટલે એક જાતનું ઉન્માદી ટોળું. સંઘ તો તે જ કહેવાય કે, જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેવાના ગુણવાળો હોય. આ સત્યને પ્રકાશવામાં આપણે હતા ન હતા થઈએ તો તેમાં કશી જ હરકત નથી. એ વાતમાં નિશ્ચિત રહેજો, કારણ કે, સત્યને પ્રકાશવામાં આપણે હતા ન હતા થઈએ તો તેમાં આપણે કશું ગુમાવતા નથી, પણ આપણે હયાત હોઈએ અને સત્ય હતું ન હતું થાય તો આપણી કિંમત અવશ્ય ઘટે; એટલું જ નહિ પણ આપણે જીવતા મૂઆ જેવા જ ગણાઈએ. વળી સત્યને હયાત રાખવા માટે આપણે હતાં ન હતા થઈએ એમાં આપણને એકાંતે લાભ જ છે, માટે ‘શ્રી જિનેશ્વરદેવના પવિત્ર શાસનમાં શંકાને સ્થાન નથી.' આ સત્ય સમજવામાં અને સમજાવવામાં આપણે આપણી સઘળી જ શક્તિ ખર્ચવી જોઈએ.
સમજવા માટે જિજ્ઞાસા રૂપ શંકા જરૂ૨ થાય, પણ ‘તૂં મવેવેવ થમ્’ આ કેમ જ હોય ?' એમ ન થાય; કારણ કે, નહોતું તે કહેવાની શ્રી જિનેશ્વરદેવોને જરૂર જ નહોતી. બધું તજી દીધા પછી, સારી દુનિયાથી નિરાળા થયા પછી, રાગ, દ્વેષ અને મોહને સર્વથા જીત્યા પછી કેવળજ્ઞાનના યોગે જે અને જેવું જોયું તે જ અને તેવું જ તેમણે કહ્યું છે, એટલે એ તારકના વચનમાં એવી શંકા જ ન થાય કે, જે શંકાના યોગે સત્ય સમજાય નહિ અને અસત્યથી બચાય નહિ. એવા પ્રકારની શંકા ન થાય એ માટે એમ નક્કી કરો કે, જે નહોતું તે કહેવાની એ તારકને જરૂર નહોતી. ‘એવું કહેવામાં એમની આબરૂ વધતી હતી.' એવી કલ્પના પણ થઈ શકે તેમ નથી, કારણ કે, રાગ, દ્વેષ અને મોહ તો છે નહિ માટે એ વાત સંભવતી જ નથી. એટલે જેના રાગદ્વેષ અને મોહ ગયા તે આપ્ત અને એનું વચન તે આગમ, એમાં શંકા રાખવાનું કારણ જ નથી.
વ્યવહા૨માં પણ જેને પૈસાની જરૂ૨ હોય તે નોકર ગાંડા શેઠને પણ ડાહ્યા કહે, પણ જેને પાઈની પણ જરૂરત ન હોય તે તો કહી દે કે, ‘લોક તમને ભલે ડાહ્યા કહે પણ હું તો ગાંડા કહું છું, કારણ કે, એ તો બધા સ્વાર્થમાં ડૂબેલા છે માટે દબાયેલા છે પણ હું દબાયો નથી.' એ જ રીતે રાગ, દ્વેષ અને મોહથી રહિત થયેલા આત્માઓને પણ અસત્ય કહેવાનું કારણ નથી; આથી એ ત્રણ