SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ : જૈનશાસનમાં અંતરના અવાજને સ્થાન નથી 85 વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ-૪ શનિવાર, તા. ૧૮-૧-૧૯૩૦ • અંતરના અવાજની ઘેલી વાતો : • બહારના સંયોગો એ જ દુઃખનું મૂળ : • નરક નથી' એમ કહેવાથી શું વળે ? શ્રી જિનવચનમાં શંકા થવાનાં કારણો અને તેને દૂર કરવાના ઉપાયો • આપણું કર્તવ્ય ! સારું નિમિત્ત પણ યોગ્યને અસર કરે ? • ખામી નિમિત્તની નહિ પણ તમારી પાત્રતાની છે : અંતરના અવાજની ઘેલી વાતો : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તવના કરતાં નગર આદિ સાતની ઉપમાથી શ્રીસંઘને સ્તવ્યા બાદ શ્રીમેરૂની ઉપમાથી સ્તવે છે; તે આપણે જોઈ રહ્યા છીએ. મેરૂની ઉપમાથી સ્તવતાં સૂત્રકાર મહર્ષિએ છ ગાથા લખી છે. તેમાંની પ્રથમ ગાથાના પૂર્વાર્ધ ઉપરથી આપણે સમજી શક્યા છીએ કે, શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વિજયી પીઠ, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. એ પીઠમાં શંકાદિ દોષો રૂપ પોલાણ ન હોય તો જ એમાં પરતીર્થિકોની વાસનારૂપ જલનો પ્રવેશ ન થાય અને તેમ બને તો જ એ પીઠ દઢ બને. એ પીઠમાં પ્રથમ દઢતા જ ન હોય તો પછી તેમાં રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની આશા રાખવી એ ખોટી જ છે. એ પીઠમાં પોલાણ કરનારા સમ્યકત્વના પાંચ દોષોમાં પહેલો દોષ શંકા છે; એટલે જે સંઘને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય, તે સંઘની એ પીઠ પોલી જ છે, એ વાત શંકા વિનાની છે અને એ પીઠ જ પોલી હોય તો પછી તેના ઉપરનું બધુંય પોલું જ છે, એમાં વળી શંકા જ શી ? કારણ કે, “મુક્તિ છે' એવું આપણે શાથી જાણ્યું ? તેને આપણે જોઈ પણ નથી કે અનુભવી પણ નથી ! કહેવું જ પડશે કે, શ્રી જિનેશ્વરદેવના વચનના આધારે જ આપણે મુક્તિને જાણીએ છીએ અને એ વિશ્વાસના યોગે પ્રયત્ન કરતાં પ્રાપ્ત થયેલ ગુણની થોડીક ઝાંખી ઉપરથી કલ્પના થાય છે કે, જ્ઞાની કહે છે તે બરાબર જ.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy