SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ : આજે દૂષણોનું સામ્રાજ્ય વીરસં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ વદ- ૨ ગુરુવાર, તા. ૧૬-૧-૧૯૩૦ ♦ શ્રી સર્વજ્ઞોએ ફરમાવેલું બધું જ સત્ય છે : • શ્રી જિનવચનમાં શંકા, એ દોષ છે : બધા જ મુનિ કેમ નથી બોલતા ? ૭ આંગી કરવાથી વીતરાગતા નાશ પામે ? ૭ ભાવનાની વિશાળતા કે વિનાશકતા ? ♦ સહેલાઈમાં સહુ રાજી છે : ♦ ધીમું મીઠું ઝેર : ♦ ધર્મવિરોધીઓથી ચેતીને ચાલો ! 33 સર્વજ્ઞોએ ફરમાવેલું બધું જ સત્ય છે ઃ સૂત્રકારમહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠિકાની દૃઢતા, રૂઢતા ગાઢતા અને અવગાઢતાનું વર્ણન કરતાં, પ્રથમ ‘તેની દૃઢતા કોને કહેવી ?' તેનું વર્ણન કરતાં ફરમાવ્યું કે, ‘એ પીઠમાં શંકાદિ દોષોરૂપ પોલાણ ન હોય અને એ પોલાણના યોગે એ પીઠમાં પરંતીર્થિકની વાસનારૂપ પાણીનો પ્રવેશ ન થાય, તો જ તેની દૃઢતા રહી શકે.’ આથી સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે કે, ‘શંકાદિ પાંચ દોષો એ જ શ્રી · સમ્યગ્દર્શનરૂપ પીઠિકાનું પોલાણ છે !' શ્રીસંઘરૂપ મેરૂની સ્થિરતા, આ પીઠ ઉપર આધાર રાખે છે; એને પોલી કરનારા જે પાંચ દોષો તેનાં નામ તો . `જણાવી જ ગયા છીએ અને એ દોષોનું સામાન્ય સ્વરૂપ પણ જોઈ ગયા છીએ. એ પાંચ દોષોમાં સૌથી પહેલો દોષ ‘શંકા’ નામનો છે. આ ‘શંકા’ નામના દોષનું તો આજે સામ્રાજ્ય છે. એ ‘શંકા‘ના સામ્રાજ્યમાં ‘કાંક્ષા’ તો જરૂ૨ આવે, એના આવ્યા પછી ‘વિચિકિત્સા' પણ આવે અને તે પછી ‘મિથ્યામતિના ગુણોનું વર્ણન' પણ થાય, તેમ જ એનો ‘પરિચય' પણ વધે જ. ખૂબ વિચા૨વામાં આવે તો જણાશે કે, મોટે ભાગે કાંક્ષાદિક દોષોનું મૂળ ‘શંકા’માં છે; માટે શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાઓ ઊભી કરવાની પ્રવૃત્તિથી એકદમ બચવું જરૂરી છે. આ કથનની સામે ઊઠતા ‘શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતો ગળે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy