SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ 411 - ૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32 – – ૪૧૧ ભગવાન શ્રી મહાવીરદેવને ઘણા ઉપસર્ગ આવ્યા, પણ તે તારક પાછા હક્યા? નહિ અને બાકીના ઘણા હઠી જનારા હોવા છતાં, બધાંયમાં આવિર્ભાવે પણ સમાનતા મનાવવા કરતાં સમાનતા ખીલવવાના પ્રયત્નો કરવા જોઈએ; અને સમાનતાની શક્તિ પ્રગટાવવા આવરણ ખસેડવાં પડશે; આવરણ ખસેડવા ઘરબાર વગેરે છોડવાં પડશે; ગાડી, મોટર, બંગલાની સહેલગાહ વગેરે સઘળું છોડવું પડશે. ત્યાગી અવસ્થા આવે તો આત્માની સમાનતા ખીલે. આ તો એકનું લઈને બીજાને આપવું, એમાં સમાનતા ક્યાં છે ? એ તો એક રીતની વિલક્ષણ પ્રકારની લૂંટ છે. વિશ્વની આદિ અને અનંતજ્ઞાનીઃ * એ લોકો કહે છે કે, “અનંતજ્ઞાની છે તો દુનિયાની આદિ કેમ ન બતાવે ?' પણ આદિ હોય તો તે બતાવે કે ન હોય તોય બતાવે ? એ નહિ વિચારે ! ગાંડાઓ કહે છે કે, “ડાહ્યા ગણાતા જો ડાહ્યા હોય તો અમને ડાહ્યા ન કહે ?” પણ વિચારતા નથી કે, ડાહ્યાઓ, ડાહ્યાને ડાહ્યા કહે કે બધાને ડાહ્યા કહે ? સમાનતા મોક્ષમાં જ વળી એ લોકો કહે છે કે, જ્ઞાનીએ વિષમભાવ ફેલાવ્યો. કારણ કે, કોઈને સમ્યગ્દષ્ટિ અને કોઈને મિથ્યાદૃષ્ટિ. કોઈને આસ્તિક અને કોઈને નાસ્તિક વગેરે કહી કહીને ભેદ પાડ્યાં.” આપણે સામે એમ કહીએ છીએ કે, “એવા ભેદ જ્ઞાની વિના બીજા પાડે પણ કોણ? જે દેખે તે જ પાડે; જેનામાં માપવાની શક્તિ હોય તે જ ભેદ પાડે; આંધળો શું પાડે?' આંધળાને તો બધું જ સરખું. * : અનંતજ્ઞાનીઓએ તો અનંતજ્ઞાનમાં જે જોયું તે કહ્યું અને એ જ મુજબ શ્રી ગણધરદેવોએ ગૂંચ્યું, પૂર્વાચાર્યોએ ખીલવ્યું અને આજનો સુવિહિત વર્ગ કહે છે, એટલે પેલો વર્ગ મૂંઝાયો. કહે છે કે, “આપણે તો મગની બે ફાડ કરી, અમે હતા - ' એવા અમને જાહેર કર્યા, અમે અમારી સફાઈમાં ફરતા હતા તે ખુલ્લા પાડ્યા, એ ઠીક નહિ.” જ્ઞાનીને તો બધા ભેદ પાડવા પાડ્યા. તેમણે પણ ચૌદ ગુણસ્થાનક કહ્યાં. કર્મ મૂળ આંઠ પ્રકારનાં કહ્યાં; તેની ઉત્તર પ્રકૃતિ એક સો અઠ્ઠાવન જણાવી, મનુષ્ય બધા; ગતિ મનુષ્યની; આયુષ્ય મનુષ્યનું બધાને; પણ ભેદ કેટલો ? જેટલા આકાર એટલા ભેદ છે ને ? અરે ! એક ગતિ, એક આયુષ્ય, એક દેશ, એક જાતિ, એક કુળ, એક ઘર અને એક માના ઉદરમાં પેદા થયા, ત્યાં પણ થોડો ઘણો ભેદ છે ને ? તો પછી આજના આ લોકો કઈ જાતની અને કેવી રીતની સમાનતા સ્થાપવા માંગે છે ?
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy