________________
૪૧૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
410 આવી અપૂર્વ વાતો, નથી તો કાળજીપૂર્વક સાંભળતા, કે નથી તો સાંભળેલી વાતો વિચારતા, એની જ આજે આ દશા છે. ભણવું નહિ અને ભણવું તો ગણવું નહિ, ત્યાં થાય શું? વળી, બુદ્ધિહીન ન સમજી શકે એથી કાંઈ જ્ઞાનીના વચન ખોટાં ઓછાં ન થાય ? સમાનતા મનાવવા કરતાં સમાનતા કેળવતાં શીખો !
ભયંકર અજ્ઞાનતાના યોગે સમાનવાદની લતે ચડેલા લોકો આજે કહે છે : કે, “બધા સમાન જોઈએ;' એક શેઠ અને એક સામાન્ય એમ ન જોઈએ; આવાઓની સામે અમે પણ કહીએ છીએ કે, “ન જોઈએ પણ થાય શું ? કોઈ , સુખી, કોઈ દુઃખી, કોઈ ઊંચો, કોઈ નીચો, કોઈ કાળો, કોઈ ધોળો, કોઈ • મનુષ્ય, કોઈ તીર્થંચ, એ ભેદ તો નજરે દેખાય છે ત્યાં શું ?' બધા વિદ્વાન થાય એ ઇચ્છીએ, પણ ભણેલા થોડા જ અને અભણ ઘણા હોય છે, સીધું ભણેલા કરતાં વાંકું ભણેલા ઘણા; સીધું ભણેલામાંયે બોલનાર થોડા અને મૂંગા ઘણા. આવી સ્થિતિવાળા સંસારમાં સમાનતા સંભવે જ કેમ ? આથી જ શાસ્ત્ર કહે છે કે, “સમાનતા તો સિદ્ધના જીવોમાં છે.' સમાનતાની લતે ચડેલા કર્મની થીયરી, આત્માનું સ્વરૂપ, પુણ્ય-પાપનો વિચાર અને આ લોક તથા પરલોકની ક્રિયા વગેરે વિચારવાનું ભૂલી ગયા છે. નહિ તો એવી ભાવના જન્મે જ નહિ. કોઈ પાંચ વર્ષે મરે છે, કોઈ પચાસ વર્ષે મરે અને એથી પણ અધિક ઉમરનો થઈને મરે છે, કોઈ ગર્ભમાં મરે છે તો શું ત્યાં કાંઈ થઈ શકે તેમ છે ?
સભાઃ પૈસામાં સમાનતા માંગે છે.
દુનિયાની લક્ષ્મી ભેગી કરી સરખે ભાગે વહેંચી નાખવા ઇચ્છે છે એમ ને? શું એ શક્ય છે? માનો કે, શક્ય છે, પણ વહેંચી અને ખિસું કપાઈ ગયું તો ? પડી ગયા તો ? એને આપેલું એની પાસે રહેશે જ એવો નિયમ છે ? ખરેખર, આજનો સમાનતાવાદ એ પણ એક લત છે. અમુક આદમી અજ્ઞાનના વેગે ચડી અમુક શબ્દને પકડી બેઠા છે, એટલે પોતાની જાતનું પણ ભાન ભૂલ્યા છે. પોતે વક્તા અને બીજા શ્રોતા ત્યાં ક્યાં સમાનતા છે? સમાનતાના વાદથી શ્રોતાઓ કહે કે, “જેમ તું ઊભો થઈને બોલે છે, તેમ અમને બોલતા બનાવ’ - તો શું થાય ?
આત્મા પોતાના ધર્મો સમાન એમ કહે તો કબૂલ. કેમ કે, દરેક આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય સત્તામાં છે, પણ અત્યારે એ બધામાં પ્રગટ છે એમ મનાય? અને જો મનાય તો એક ધડાકો થાય છે, એટલામાં અનંતવીર્ય ક્યાં ચાલ્યું જાય છે ? ધડાકાની સાથે જ બધા નાસી જાય છે ને ?