SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ 409 – ૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32 - જ્ઞાનીને પણ કહેવા યોગ્ય પદાર્થો કરતાં નહિ કહેવા યોગ્ય પદાર્થો અનંતગુણા છે. અનંત આંકડા ગણવા આયુષ્ય કેટલું જોઈએ ? એક, બે, એમ આંકડા ક્રમસર ગણાય ને ? એક મિનિટમાં સાઠ શબ્દ બોલે, બહુ ઝડપ હોય તો સો બોલે, ચૌદપૂર્વી ઘણા બોલે, પણ કેટલા ? અક્ષર એક અને અર્થ અનંતા ! આ એક ગાથા કેવળજ્ઞાની કહેવા બેસે, તો જિંદગીઓ પૂરી થાય; કારણ કે, અનંત જ્ઞાનીની સીમા નથી બાંધી શકતી. વસ્તુ હોય પણ વાણીના વિષયમાં ન આવે, એ કહેવાય શી રીતે ? એ લોકો કહે છે કે, “અનંતજ્ઞાની તે કહેવાય કે, જે બધું મોઢે કહી બતાવે!” કહું છું કે, “બધું કહી બતાવવાનો ડોળ કરે, એ તો મહાઅજ્ઞાની !” અનંતજ્ઞાની તો કહે છે કે, “વાણીમાં ન આવે તેવું હોય તેને કહેવાય જ નહિ.' વાણીમાં આવે તેમાં પણ જે યોગ્ય હોય તે કહીને એ ઉપકાર કરે. શાસ્ત્ર કહે છે કે, જેમ જ્ઞાન વધે તેમ વાણી ઉપર અંકુશ આવે. જ્ઞાનીઓ કાંઈ અગડ-બગડવાદીની માફક ઓછા જ ગમે તેમ બોલે ? એલ-ફેલ કોણ લવે ? જે ઉન્મત્ત હોય તે જ; સમજદાર તો ગણી ગણીને બોલે. મનફાવતું તો બધા લવે, પણ એ કાંઈ જ્ઞાની નથી. અનંતજ્ઞાનીના જ્ઞાનમાં આવતી વસ્તુ શબ્દથી કહેવાય શી રીતે ? શ્રી અરિહંતદેવનું પૂરું સ્વરૂપ કોઈ કહી શકે ? નહિ જ, કારણ કે, જેના ગુણ ગણી જ ન શકાય, તે કહેવાય પણ શી રીતે ? • તમે સાંભળ્યું છે ને કે, જે લોકો ભગવાન શ્રી મહાવીરદેવને દર્શનવંદન કરીને આવ્યા, તેમને શ્રી ઇંદ્રભૂતિજીએ પૂછ્યું કે, “મહાવીર કેવા છે?” ત્યારે એ લોકોએ શું કહ્યું હતું ? એ વાત શ્રી કલ્પસૂત્રમાં આવે છે, પણ યાદ રાખો તો ને ? એ લોકોએ શ્રી ઇંદ્રભૂતિજીને કહ્યું છે કે - यदि त्रिकोली गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परार्थं गणितं यदि स्यात्. गमेयनिःशेषगुणोऽपि स स्यात् ।।१।। જો ત્રણેય લોક, તે પરમપુરુષના ગુણો ગણવામાં તત્પર થાય, ગુણ ગણવામાં તત્પર થયેલ તે ત્રણેય લોકનું આયુષ્ય જો પૂર્ણ ન થાય અને ગણિત જો પરાર્ધથીય અધિક હોય, તો જ તે પરમ તારકના સઘળાય ગુણો ગણી શકાય તેમ છે; અર્થાત્ એ પરમ તારકના તે ગુણો કોઈથી કોઈપણ રીતે ગણી શકાય તેમ નથી, કારણ કે, નથી તો કોઈ અનંત આયુષ્યને ધરનાર કે નથી તો તે ગુણો ગણવા માટેનું ગણિત !'
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy