________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
રહેતા, તે ચક્રવર્તીમાં પણ કેવો પલટો ! અને એ પલટો થાય તો જ સંયમને પામે !
૨૨
22
સભા : અમારે પલટો કરવાનો ?
તમારે હોય ! તમે તો ચક્રવર્તીનાયે ચક્રવર્તી કેમ ? એમની પાસે ચક્ર હતું, તમારી પાસે તો કશું નથી. તે ચક્રને ધરનારા છ ખંડના માલિકો પણ ધર્મ સમક્ષ શિર ઝુકાવતા, જિંદગીમાં કદી પણ ધર્મ ઉપર આક્રોશ નહોતા કરતા અને શ્રી
જિનેશ્વરદેવની આજ્ઞા સામે ચેડાં પણ નહોતા કાઢતા.
શ્રી જિનમંદિરોને ભારભૂત કહેનારા સંઘમાં ગણાય ?
કેટલાક તો કહે છે કે-“આ જમાનામાં જૈનસમાજને માટે શ્રી જિનમંદિરો ભારભૂત છે ઃ જૈનસમાજ એને સાચવવા તૈયાર નથી.” મને તો એમ લાગે છે કે-એવું કહેનાર જ આ જગતમાં ભારરૂપ છે. એમ કહેનારને કહી દેવું જોઈએ કે-“તમારા જેવા કંઈક પામરો ચાલ્યા જશે તોયે શ્રી જિનમંદિરો તો વિશ્વમાં સદાને માટે અને આ ભારતવર્ષમાં પણ હજારો વર્ષો સુધી અખંડિત જ રહેવાનાં છે. માત્ર તમારી કમનસીબીથી જે તમને એમ દેખાયા કરે છે. શ્રી જિનેશ્વરદેવના મંદિરની સામે લાલ આંખો કરતાં પહેલાં સાવધ રહેજો; એ તમારા બાપની મિલકત નથી. એ તો શ્રી જિનેશ્વરદેવોના ગુણોથી સરજાયેલી મિલકત છે. તેમની હયાતી વિના પણ એ પૂજાય છે, તે પ્રતાપ તે તારકના લોકોત્તર ગુણોનો છે. તારકની પૂજાથી અકળાવા કરતાં પૂજ્ય થવાના પ્રયત્ન કરો તો વગર અકળાયે પૂજાપાત્ર બની શકશો.
શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ ઉપર હીરા, માણેક લાદનારા પણ જીવંત છે તે, તે પુણ્યપુરુષોની પુણ્ય કાર્યવાહીને. પ્રતાપે છે, માટે તમારે નિષ્કારણ દુઃખી થવાની કશી જ જરૂ૨ નથી. તમારા જેવા મિથ્યાત્વરોગથી રિબાતા માણસો તે તારકના પૂજારીઓને ગાંડા, ઘેલા અને પાગલ વિગેરે કહે તેની તેઓને દરકાર નથી, કારણ કે-તમારા જેવાની દૃષ્ટિએ તેઓ ડાહ્યા થવા માગતા પણ નથી. શ્રી જિનેશ્વરદેવો પાસે તો પોતાને પશુ જેવા માને છે. ઇંદ્ર પણ મેરૂ પર્વત ઉપર અભિષેક કરતી વખતે વૃષભનું રૂપ કરી શીંગડામાંથી ક્ષીરની ધારા કાઢી અભિષેક કરે છે.
શ્રી જિનેશ્વરદેવો આગળ પોતાની જાતને મોટી માનીને અને પોતાની બુદ્ધિને શ્રેષ્ઠ માનીને આવનારા તો ભક્તિ કરનારા નથી પણ આશાતના કરનારા છે. એવાને તો ત્યાં આવવાનો અધિકાર પણ નથી. એવા પાપાત્માઓથી તો શ્રી જિનમંદિર દૂર જ રહેવું જોઈએ. શ્રી સર્વજ્ઞદેવ આગળ