________________
605
૪૦
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – વળી જ્યારે પોતામાં બધું સમજવાની શક્તિ આવશે, ત્યારે તો સાંભળવાની પણ જરૂર રહેવાની નથી; એટલું જ નહિ, પણ તે પછી તો પુસ્તકનો આધાર પણ નહિ જ લેવો પડે; કારણ કે, કેવળ બુદ્ધિપૂર્વક જ બધું જાણી શકવાની તાકાત આવી જાય, તો પછી બીજી વસ્તુની પંચાત જ શી ? પણ એ તાકાત આવે ત્યાં સુધી તો અનંતજ્ઞાનીઓએ ફરમાવેલું માનવું જ, પણ “જે મને ન બેસે તે કેમ જ હોય ?' - એવી શંકા ન જ થાય.
અજ્ઞાનીએ સમજવા માટે જિજ્ઞાસારૂપ શંકા જરૂર થાય, કારણ કે, એને બધી વાતો પૂરી ન સમજાય. અજ્ઞાન છે ત્યાં સુધી થોડું સમજાવાનું અને ઘણું સમજવાની બાકી જ રહેવાનું, માટે અનંતજ્ઞાનીઓનાં વચનો પણ “મને બેસે તો . જ માનું'. એવો આગ્રહ ન જ હોય.
દુનિયાદારીમાં એ આગ્રહ નથી નભતો. આંખે દેખાતી વસ્તુમાં થતાં ભિન્ન ભિન્ન પરિવર્તનો માનવાં પડે છે, તો અતીન્દ્રિય પદાર્થોમાં ન માનવાનો આગ્રહ કેમ ન હોય ? એક ચીજને આપણે સારી માનીએ અને વૈદ્ય ખોટી કહે; એ શાથી ? આ વસ્તુ ખોટી છે, એ નુકસાન કરનારી છે એ વૈદ્ય સમજે, પણ આપણે ન પણ સમજીએ. જે ચીજ હાથમાં હોય છે, સગી આંખે દેખાય છે, એના ગુણદોષની શક્તિ પારખવાનો આધાર પણ પારકા પર રાખવો પડે, તો જે પદાર્થો દૃષ્ટિમાં પણ ન આવે, તેના ગુણદોષ પારખવાની શક્તિ શી રીતે હોય ? જે ચીજ આંખે દેખાય, ઇન્દ્રિયોને ગ્રાહ્ય છે, તેના ગુણદોષ પણ ઘણીવાર જણાતા નથી, તો અતીન્દ્રિય પદાર્થોનાં સ્વરૂપ શી રીતે દેખાય ? બધી ચીજના ગુણદોષ જાતે જાણીને પછી અમલ કરે, એવો કોઈ પણ દાવો કરી શકે છે ?
સુંઠ પિત્ત કરે અને ગોળ કફ કરે, એ શાથી ? કહેવું જ પડશે કે, એના જ્ઞાતાએ કહ્યું એથી ! વળી એ બે ભેગાં થાય તો ઔષધ બને; પણ એ વાત જાણી ક્યાંથી ? પારકાના કહેવાથી જ ને ? સુંઠથી પિત્ત કેમ થાય ? એ પૂછો તો કહેવું પડે કે, વૈદ્ય કહે છે.
છદ્મસ્થને છદ્મસ્થપણાના યોગે જિજ્ઞાસારૂપ શંકા જરૂર થાય. પરંતુ તેમાં જો સત્ય સમજવાની બુદ્ધિ હોય અને પ્રભુએ કહ્યું છે તે સાચું જ હોય, એવી શ્રદ્ધા હોય તો વહેલા-મોડા પણ જરૂર સમજાય. સમજદારને શરણે જવું પડે, એ યુક્તિ આપે તે ન જચે તો વારંવાર પૂછવું પડે, સાંભળવું પડે, વિચારવું પડે, મહેનત કરવી પડે, એક-એક વસ્તુ ઘણા દિવસો સુધી નિશ્ચિત કરવી પડે ત્યારે સમજાય. “ક' ને કાનો “કા' અને બે “કા' મળી ‘કાકા’ થાય, પણ એ ઘૂંટ્યું, ગોખ્યું, ત્યારે આવડ્યું કે કેવળ બુદ્ધિથી જ આવડી ગયું? એના ઉપર મહેનત