________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
આપના૨ ધર્માચાર્યરૂપ શુદ્ધ ગુરુ તથા જીવ, અજીવ આદિ નવે પદાર્થોનું નિરૂપણ ક૨ના૨, સઘળાય સુનયોનો પોતામાં સમાવેશ કરનાર શ્રી અરિહંતદેવોએ ફરમાવેલા ધર્મરૂપ તત્ત્વમાં ‘અષ્ણિ’ છે યા ‘દાષ્ટિ’ નથી, એ પ્રકારે સંદેહને વહન કરનારી જે બુદ્ધિ, તેનું નામ શંકા.'
૨. કાંક્ષા :
“વા ઝુમવામિનાસા, વિશુળનેસવંસળઓ " ‘દયાદિક ગુણોના લેશનાં દર્શનથી કુમતની અભિલાષા, તેનું નામ કાંક્ષા.’ ૩. વિચિકિત્સા :
૪૦૪
404
वितिगिच्छा सफलं पइ संदेहो मुणिजण म्मि उदुगंछा ।।
‘શ્રી જિનેશ્વરદેવના વચનની આરાધનાના ફળ પ્રત્યે સંદેહ, તેનું નામ વિચિકિત્સા અથવા મુનિજનો વિષેની જુગુપ્સા એટલે કે, આ મુનિઓ આવા મલમલિન રહે છે, એના કરતાં અચિત્ત જળથી સ્નાન કરે તો દોષ લાગી જાય ? એવી જે વિચારણા, તેનું નામ વિચિકિત્સા.'
૪. મિથ્યામતિની પ્રશંસા :
“મુળત્તિળું પસંસા”
‘મિથ્યામતિ આત્માઓના જ્ઞાનાદિક ગુણોનું કીર્તન, તેનું નામ મિથ્યાદૃષ્ટિ પ્રશંસા.'
૫. મિથ્યામતિઓનો પરિચય :
“ષિવરાં તુ સંથવાં”
‘મિથ્યામતિઓ સાથે વસવાથી અને પરસ્પર આલાપાદિકથી જે પરિચય ક૨વો, તેનું નામ મિથ્યામતિનો પરિચય.'
આ પાંચેય સમ્યક્ત્વને દૂષિત કરનાર દોષો છે, માટે અવશ્યમેવ વર્લ્ડવા યોગ્ય છે. જો આ દોષોને વર્જવામાં ન આવે, તો જરૂર તે દોષો શ્રીસંઘરૂપ મેરૂપર્વતની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નની પીઠિકાને પોલી કર્યા વિના રહે નહિ. એ દોષથી જો પીઠિકા પોલી થાય, તો તેમાં કુતીર્થીઓની વાસનારૂપ પાણી ગયા વિના રહે જ નહિ; અને જો તેમ થાય તો જરૂ૨ એ પીઠિકા ચલાયમાન થયા વિના પણ રહે નહિ; માટે જરૂર એ દોષોથી બચવું જ જોઈએ.