SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ આપના૨ ધર્માચાર્યરૂપ શુદ્ધ ગુરુ તથા જીવ, અજીવ આદિ નવે પદાર્થોનું નિરૂપણ ક૨ના૨, સઘળાય સુનયોનો પોતામાં સમાવેશ કરનાર શ્રી અરિહંતદેવોએ ફરમાવેલા ધર્મરૂપ તત્ત્વમાં ‘અષ્ણિ’ છે યા ‘દાષ્ટિ’ નથી, એ પ્રકારે સંદેહને વહન કરનારી જે બુદ્ધિ, તેનું નામ શંકા.' ૨. કાંક્ષા : “વા ઝુમવામિનાસા, વિશુળનેસવંસળઓ " ‘દયાદિક ગુણોના લેશનાં દર્શનથી કુમતની અભિલાષા, તેનું નામ કાંક્ષા.’ ૩. વિચિકિત્સા : ૪૦૪ 404 वितिगिच्छा सफलं पइ संदेहो मुणिजण म्मि उदुगंछा ।। ‘શ્રી જિનેશ્વરદેવના વચનની આરાધનાના ફળ પ્રત્યે સંદેહ, તેનું નામ વિચિકિત્સા અથવા મુનિજનો વિષેની જુગુપ્સા એટલે કે, આ મુનિઓ આવા મલમલિન રહે છે, એના કરતાં અચિત્ત જળથી સ્નાન કરે તો દોષ લાગી જાય ? એવી જે વિચારણા, તેનું નામ વિચિકિત્સા.' ૪. મિથ્યામતિની પ્રશંસા : “મુળત્તિળું પસંસા” ‘મિથ્યામતિ આત્માઓના જ્ઞાનાદિક ગુણોનું કીર્તન, તેનું નામ મિથ્યાદૃષ્ટિ પ્રશંસા.' ૫. મિથ્યામતિઓનો પરિચય : “ષિવરાં તુ સંથવાં” ‘મિથ્યામતિઓ સાથે વસવાથી અને પરસ્પર આલાપાદિકથી જે પરિચય ક૨વો, તેનું નામ મિથ્યામતિનો પરિચય.' આ પાંચેય સમ્યક્ત્વને દૂષિત કરનાર દોષો છે, માટે અવશ્યમેવ વર્લ્ડવા યોગ્ય છે. જો આ દોષોને વર્જવામાં ન આવે, તો જરૂર તે દોષો શ્રીસંઘરૂપ મેરૂપર્વતની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નની પીઠિકાને પોલી કર્યા વિના રહે નહિ. એ દોષથી જો પીઠિકા પોલી થાય, તો તેમાં કુતીર્થીઓની વાસનારૂપ પાણી ગયા વિના રહે જ નહિ; અને જો તેમ થાય તો જરૂ૨ એ પીઠિકા ચલાયમાન થયા વિના પણ રહે નહિ; માટે જરૂર એ દોષોથી બચવું જ જોઈએ.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy