________________
૩૨ ઃ સમકિત-દૂષણ પરિહરો !
32
વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, પોષ વદ-૧ બુધવાર, તા. ૧૫-૧-૧૯૩૦
• સમ્યગ્દર્શનને ઢીલું પાડનાર પાંચ દોષો : • પ્રથમ દોષ શંકા : • બધેય યુક્તિ ન હોય, આગમ ઉપર શ્રદ્ધા કેળવો ! • જોયેલું અને જાણેલું બધું જ કહી શકાતું નથી :
સમાનતા મનાવવા કરતાં સમાનતા કેળવતાં શીખો ! વિશ્વની આદિ અને અનંતજ્ઞાની : . • સમાનતા મોક્ષમાં જ : .
શાસ્ત્રોને કસવા ગમે તેવી બુદ્ધિ ના ચાલે :
સમ્યગ્દર્શનને ઢીલું પાડનાર પાંચ દોષોઃ
સૂત્રકારમહર્ષિ શ્રીદેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રીસંઘની સ્તવના નગરાદિ સાત રૂપકોથી કરી. હવે શ્રી મેરૂના રૂપકની સ્તુતિ કરે છે. મેરૂની પીઠ વજરત્નની છે અને તે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; તેમ શ્રીસંઘરૂપ મેરૂની પણ સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નની પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગ્દર્શનને પીઠ કહી, કારણ કે, એ મોક્ષનું મુખ્ય અંગ છે; એના | વિના આત્માની મુક્તિ કદી જ ન થાય, કારણ કે, એના વિનાનું જ્ઞાન એ અજ્ઞાન બને છે અને ગમે તેવું ચારિત્ર એ પણ કાયકષ્ટરૂપ છે. પીઠમાં પરતીર્થિક વાસનારૂપ પાણી ન પેસે તો તેની દઢતા રહે અને દોષારૂપ પોલાણ ન હોય તો પાણી ન પેસે. શ્રીસંઘરૂપ મેરૂ પર્વતની સમ્યકત્વ પીઠિકામાં પોલાણ કરનારા દોષો પાંચ છે. ૧. શંકા
“સેવે ગુસંમિ તને, અસ્થિ નવસ્થિત્તિ-સંસાનો સંવા ” કેવળજ્ઞાને કરીને લોકાલોકને જાણનાર, રાગ, દ્વેષ અને મોહનો સર્વથા નાશ કરનાર અને અભુત અર્થના કહેનાર શુદ્ધ દેવ; પાંચ મહાવ્રતોને ધરનાર, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનવૃત્તિને સેવનારા અને સદ્ધર્મનો ઉપદેશ