________________
૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર - 30
બને એમાં બીજો શા માટે ઈર્ષ્યા કરે ? પોતાના ક્ષયોપશમથી કોઈ વધુ ભણે, તેમાં બીજાને ઈર્ષ્યાનું કારણ શું ? એનો એવો ક્ષયોપશમ, પણ એ ભાવના નથી આવતી પણ ઊલટી ઈર્ષ્યા થાય છે; એટલે મોટા દુર્ગુણરૂપ બને છે. આ દુર્ગુણ આત્મગુણોની કતલ કરનાર છે.
379
૩૭૯
બાવીસ પરિષહમાં ‘પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહ' આ બે પરિષહો પણ છે અને એ બેયને સહેવાના છે. જેમ બુદ્ધિ અને જ્ઞાન વધે, તેમ ‘હું જ્ઞાનીહું જ્ઞાની’ એમ એ કહ્યા ન કરે. એ તો હંમેશાં એ જ વિચારે અને બોલે કે, ‘ક્યાં એ મહાજ્ઞાની ! અને ક્યાં હું ?’ ‘હું જ્ઞાની, હું જ્ઞાની' એમ બોલતાં જ્ઞાની કદી બહાર ન આવે.
પોતાની જાતને ડાહ્યો જ કહે એ કેવો ? ‘હું જ જ્ઞાની' - એમ થયું, તો એ પ્રજ્ઞાપરિષહથી હારી ગયો. એ જ રીતે અજ્ઞાની પણ ખિન્નતાનો અનુભવ ન કરે. આ બેય પરિષહ સહવાના છે. ન સહે તો બેય ધર્મધ્યાન અને શુક્લધ્યાન પામવાને બદલે આર્તધ્યાનમાં મરે.
આ શાસનમાં તો ભણેલા અને વગર ભણેલા બેય મોક્ષે જાય છે; ભણેલા અભિમાન ન કરે અને નહિ ભણેલા જ્ઞાની ગુરુની નિશ્રામાં રહી પ્રયત્ન કરે પણ ખિન્ન ન થાય, તો બેયને માટે મુક્તિ છે. ભણેલા અભિમાન કરે અને અભણ ખિન્ન બને તો બેય દુર્ગતિમાં જાય.
દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે :
સભા ઃ આ શાસનમાં બહુમતી ન ચાલે ?
શું જજ, બધા ઊભેલાના મત લઈને ફેંસલો આપે ?
સભા જ્યુરર તો આપે ને ?
હા.! પણ તે કેવા ? એ બધા કાયદા તરફ તથા સત્ય વસ્તુ તરફ દૃષ્ટિ રાખીને બેઠેલા ! કાયદાથી અજ્ઞાત જ્યુરીને પણ જજ આખો કેસ સમજાવે છે; એ રીતે સમજાવવા છતાં પણ ન સમજી શકે તેવા અજ્ઞાનીઓ જ્યુ૨૨ તરીકે પણ પ્રાયઃ કાયમ નથી રહી શકતા. પોતાની દૃષ્ટિએ પારખી શકાય નહિ એવા અનંત જ્ઞાનના વિષયની વાતમાં બહુમતી હોય ?
અજ્ઞાનીઓની બહુમતી સદૈવ સંસાર તરફ જ રહેવાની. સંસારમાં ગમે તેવું દુ:ખ તથા ત્રાસ હોવા છતાં, અજ્ઞાનીઓ ત્યાં જ ખેંચાવાના, ચોરી તથા દરેક પાપનું ફળ પ્રત્યક્ષ છે, છતાં નાની-મોટી ચોરી કે પ્રપંચ ન કરતા હોય એવા શાહુકાર ગણનાર પણ આજે કેટલા નીકળે ? દુનિયાની બહુમતી પાપમાં