SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – -- 378 કોઈ પણ ભોગે સજ્જનોને નિંદવા, કારણ કે, એમ ન કરે તો તેઓ જીવી પણ શકતા નથી. માટે દુર્જનોનો એ ધંધો નિયત છે. - આ શાસન અને શાસ્ત્રોની ક્ષાતી હોય ત્યાં સુધી જૈન શાસનમાં રહી મરજી મુજબ વર્તવાનું બને ? નહિ જ, માટે તેઓને શાસ્ત્રને ખસેડવાનો પ્રયત્ન કરવો જ પડે ને ? કારણ કે, આ શાસ્ત્ર હોય ત્યાં સુધી મિથ્યા પ્રવૃત્તિનું વજન ઘટતું નથી, માટે જ દુર્જનો સજ્જનોને તથા શાસ્ત્રોને નિંદવાની પ્રવૃત્તિમાં.' તત્પર રહે જ છે. સાચું અને ખોટું જગતમાં શાશ્વત જ છે. પોતાને જિન કહેવરાવનાર ગોશાળો' અને “ભગવાન ભૂલ્યા” કહેનાર જમાલી ભગવાનની હયાતીમાં જ હતા ને? જો તેઓ એમ ન કહે તો પોતે અયોગ્ય ઠરે. પોતે ખોટું પકડેલું તે સાચું ઠરાવવા સાચાને પણ ખોટા કહેવા જ પડે; તે સિવાય તેવા આત્માઓ માટે બીજો રસ્તો જ નથી; આથી જ દૃષ્ટિ શુદ્ધ થયા પછી બધી ક્રિયા શુદ્ધ થાય, પણ તે પહેલાં નહિ! જેની દૃષ્ટિ મેલી એને બધું મેલું જ દેખાય, એટલે એનું બોલવુંચાલવું બધું જ ખોટું; એ બધા ધોળાને કાળું જુએ, એટલે એવાઓ ધોળાને પણ ધોળું કહે શી રીતે ? પીળીઓ થાય એ બધું પીળું દેખે. એની આંખ માટે દુનિયામાં કશું જ ધોળું નથી હોતું; તેમ મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી ઘેરાયેલા આત્માઓના હાથમાં શાસ્ત્રની સુંદરતા આવે જ નહિ. દેવાળિયો કોઈને શાહુકાર જોઈ શકે જ નહિ. એ તો એમ જ કહે કે, “મેં ખુલ્લું કર્યું, બાકી બધા અંદરથી તો આવા જ છે.” કેમ કે, એને જીવવું છે, મોટર દોડાવવી છે અને ઘી-દૂધ ખાવાં છે. વેપારીને કોઈ કહે, “જૂઠું બોલે છે ?” તો જો તે સાચો છે એમ પુરવાર નહિ જ કરી શકે તો કહેશે કે, “બધા જ બોલે છે, હું કાંઈ એકલો નથી બોલતો.” સભાઃ જગત માને ? જગત કયું જ્ઞાની છે ? જે સમજે તે જ બચે. બધાનાં કપડાં સળગેલાં અને ડાઘવાળાં તો છે જ, એટલે તેમાંથી કોઈક જ પુણ્યવાન બચે; આથી જ શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિ થવી કઠિન છે અને પ્રાપ્તિ થયા પછી મળેલા , શાસનને સાચવવું, એ એથી પણ કઠિન છે, મેળવે તે ભાગ્યશાળી અને સાચવે તે એથીયે વધારે ભાગ્યશાળી. અજ્ઞાનતાના યોગે ગુણો પ્રત્યે પણ ઇષ્ય જન્મે છે. અન્યથા કોઈ ગુણવાન
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy