________________
19
૨ : આરાધક, એ સંઘ ! - 2
રહેવા ફરમાવે છે. જ્ઞાનને પામેલો આત્મા એનો શુદ્ધ અમલ ન કરે ? અશુદ્ધ અમલનો બચાવ કરે ? ‘સાચું સ્વીકારવા યોગ્ય છે અને ખોટું ત્યાજ્ય છે’-એમ ન કહે ? સાચો ઝવેરી હીરાને હીરો અને પથરાને પથરો ન કહે ? કહે જ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે, સમ્યક્ત્વના સડસઠ બોલના સ્વાધ્યાયમાં બધી વસ્તુ દાખલ કરી છે. ઉપકારીઓની યોજના તો એવી અજબ છે કે-અર્થી સઘળું સમજી શકે. સમ્યગ્દષ્ટ આત્માની સદ્દહણાનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે - “જાણ મુનિગુણ જવહરી”
૧૯
મુનિના ગુણોને જાણવા માટે સમ્યગ્દષ્ટિ આત્મા ઝવેરી જેવો હોય. ઝીણા ગુણ ન જાણે પણ મોટા તો જાણે ને ! કીમતી નંગ ન પારખે, પણ નંગના બદલે પથરા તો ન લે ને ? આટલી યોગ્યતા હોવી ઘટે. શ્રી જિનપૂજન, જિનવાણી શ્રવણ અને દેવગુરુની ભક્તિ, એ ત્રણમાં સમ્યગ્દષ્ટિ અપ્રમાદી જોઈએ, પ્રમાદી ન હોય. સાધના મળે ત્યાં દોડ્યો આવે; દેવ-ગુરુ પર લાગતું કલંક તે પોતાનું છે એમ માને. દેવ-ગુરુ એ તારક છે : મા, બાપ, બંધુ, જે ગણો તે એ છે.
સભા માબાપથી છૂટો થયો હોય તો ?
ફરી સંયોગન કરવો પડે, વિયોગ ન સહેવો પડે, તે રીતે છૂટા થવાનું શાસ્ત્ર કહે છે. મારા-તારા માટે, સ્વાર્થ માટે મા-બાપને તજવાં એ તો નીચતા છે. એ પ્રમાણે તજનારા તો પામર દીકરા છે. જૈનશાસન કહે છે કે મા-બાપ તજવાં તો એવાં મા-બાપ ક૨વા માટે તજવાં કે-ફરી આવાં મા-બાપ કરવાં ન પડ઼ે. હજારોની ગુલામી કરે અને મા-બાપને તજે તો કુલાંગાર છે. નહિ જેવા · મનગમતા રમકડાની ખાતર મા-બાપને મૂકી દે, એ કાંઈ દીકરા છે ? એવા ત્યાગની અહીં પ્રશંસા નથી જ. અહીં તો તે ત્યાગની પ્રશંસા છે કે-જે સંસારના નિસ્તાર માટે થતો હોય !
- સંસારનો નિસ્તા૨ કરાવે તેવાં મા-બાપ ખાતર, આ મા-બાપ છોડાય તો હરકત નથી. ઊંચી કોટિની વસ્તુ માટે આ મા-બાપ તજવામાં શાસ્ત્ર સંમત છે, પણ શાસ્ત્ર કહે છે કે-દુનિયાના સ્વાર્થ માટે, મારા-તારા માટે, ને પોતે માનેલા રમકડા માટે જે મા-બાપને તજે એ સાધુધર્મને લાયક તો નથી, પણ સામાન્ય ધર્મ માટે પણ લાયક નથી. એવો ધર્મનું શું ઉકાળે ? આથી સમજી શકશો કે અહીં મા-બાપની ભક્તિનો નિષેધ નથી, પણ વિધાન છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં જો મા-બાપ સમજાવવા છતાં પણ વિઘ્નકર થાય તો તે મા-બાપને મૂકી દેવાં એમાં હ૨કત નથી-એ પણ સમજી રાખવાનું છે; કારણ