SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૭, પોષ સુદ-૧૩ સોમવાર, તા. ૧૩-૧-૧૯૩૦ 30, જ્ઞાની અને અજ્ઞાની : • દુનિયા ઝૂકતી હેય, ઝુકાનેવાલા ચાહીયે : • સાધુની સંમતિ શામાં હોય ? • ધર્મની ચિંતા ધર્મ કરે ! • ધર્મ, લક્ષ્મી મેળવવામાં કે એના સદુપયોગમાં ? • સાચાં માતા-પિતાની ફરજ શું? જ્ઞાની અને અજ્ઞાની : સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘને મેરૂ શૈલીની સાથે સરખાવી સ્તવે છે. મેરૂની પીઠ વજમયી છે. અને તે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂની પીઠ અને સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજની છે અને તે પીઠ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. મોક્ષનું પ્રથમ અંગ સમ્યગ્દર્શન છે. એના વિના ગમે તેવા જ્ઞાન, ચારિત્ર કે તપથી આત્માનું કલ્યાણ થતું નથી. કોઈપણ આત્મા સમ્યગ્દર્શન વિના તર્યો હોય તેવું એક પણ દૃષ્ટાંત નથી, કેમ કે એના વિના આત્મસ્વરૂપની વાસ્તવિક ઝાંખી થતી નથી; આત્માના અનંત ગુણો તરફ જીવનું લક્ષ્ય દોરાતું નથી; સાચું જ્ઞાન કે ચારિત્ર આવતું નથી; કર્મક્ષય થતો નથી; અને મુક્તિ મળતી નથી. સમ્યગ્દર્શન જેટલું મજબૂત હોય તેટલું જ્ઞાન અને ચારિત્ર પણ મજબૂત બને. બધો જ આધાર સમ્યગ્દર્શન ઉપર છે. શાસ્ત્ર કહેલી વસ્તુનો ભાવ આત્માને નિશ્ચિત કરાવવાનું સાધન સમ્યગ્દર્શન છે. એના વિના સમ્યજ્ઞાન થાય જ નહિ. એના વિના આ શાસ્ત્રનું જ્ઞાન પેટ માટે કે નામના માટે મેળવાય છે. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે, તેનામાં દુનિયાના બધા પદાર્થો આપવાની પણ તાકાત છે, પરંતુ આ જ્ઞાન (શાસ્ત્ર)ને વાંચતાં પહેલાં સમ્યગ્દર્શનની કે સમ્યગ્દર્શનને પામવાની ભાવનાની જરૂર છે. આત્મા એનાથી દૂર રહે તો જ લાભની જરૂર છે, તે ન મળે. મોક્ષની ઇચ્છા વિનાના અને અભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા આત્માનું સમ્યગ્દર્શન પહેલાંનું તમામ જ્ઞાન એ અજ્ઞાન
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy