________________
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29
૩૭૫
પણ કઈ રીતે રહી શકે ? આની સામે જે બોલવું હોય તો અહીં બોલજો, બોલવાની છૂટ છે, કારણ કે સમાધાન થઈ જાય. બાકી આ સ્થિતિ વિના પ્રભુના શાસનમાં સ્થાન નથી.
સભા અહીં સ્થાન નહિ હોય તો જમાનાવાદીના સંઘમાં જશે !
જેને ત્યાં જવું હોય, તેને માટે ત્યાંના તમામ માર્ગ સરજાયેલા અને ખુલ્લા છે, પણ શાસ્ત્ર કહે છે કે, મનુષ્ય ધારે તો મુક્તિ પણ મેળવે અને નરકમાં અથવા નિગોદમાં પણ એ જાય. ચોગાન ખુલ્લું છે. જેને ગમે ત્યાં જવું છે, તેની સાથે આપણને લેવાદેવા નથી. પ્રભુશાસનમાં આવવા માગનાર કે રહેવા ઇચ્છનાર સાથે જ અમારે સંબંધ છે, અગર જેને સન્માર્ગ પામવાની સામાન્ય પણ ઇચ્છા છે તેની સાથે જ અમારે સંબંધ છે. અગર જેને સન્માર્ગ પામવાની સામાન્ય પણ ઇચ્છા છે તેની સાથે જ અમારે સંબંધ છે. આ શાસનમાં કૃષ્ણ પણ ચાલે, કદાચ આચારહીન પણ ચાલે, તપ ન કરી શકે એ પણ ચાલે, પણ ઉદારતા, સદાચાર અને તપમાં કલ્યાણ માનનાર તો તે હોવો જ જોઈએ.
365
આમ છતાં આજનાઓ તો કહે છે કે, ‘વાત વાતમાં પાપ શું ? છતે અનાજે લાંઘણ કેમ ? દુકાળ છે કાંઈ ? અનાજ પાસે હોય છતાં ઉપવાસ શા માટે ? ગાડી, મોટર, ટ્રામ હોય તથા ખિસ્સામાં પૈસા હોય છતાં પગે કેમ ચલાય ? સિગારેટ લઈ શકીએ છીએ તો તે કેમ ન પીએ ? છતે પૈસે હોટલમાં, નાટક, ચેટક, સિનેમામાં કેમ ન જઈએ ? મનમાન્યા લહાવા કેમ ન.લઈએ ? બાવાઓ · શાસનમાં કઈ રીતે નભે ?
ન
શ્રી અષાઢાભૂતિ અને નાટક :
હવે તો આમાંના કેટલાકો જ્ઞાનીઓને પણ નાટકમાં ઉતારવા માંગે છે અને `એ-રીતે ‘નાટક'ને પુષ્ટ કરવા ઇચ્છે છે તેમ જ એને પુષ્ટ કરવા માટે કહે છે કે, ‘શું શાસ્ત્રમાં અષાઢાભૂતિની વાત નથી આવતી ? શું એમણે નાટક નહોતું કર્યું ?' આ પ્રમાણે કહી શાસ્ત્રીય વાતનો મનગમતો ઉપયોગ કરી, એ દ્વારા પણ પોતાની તુચ્છ મનોવૃત્તિને સફળ કરવાના પ્રયત્ન કરે છે, પણ શ્રી અષાઢાભૂતિનો પ્રસંગ જ શું એવો છે કે, તે લોકો એનો મનગમતો ઉપયોગ કરી શકે અને તે દ્વારા પોતાની તુચ્છ મનોવૃત્તિને સફળ કરી શકે ?
સભા સાહેબ ! અષાઢાભૂતિના નાટક સંબંધમાં શું છે ?
હું એ જ કહેવા ઇચ્છું છું. “શ્રી ‘અષાઢાભૂતિ’ નામના એક મોટા મુનિવર