SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 16 શ્રીસંઘરૂપ નગરમાં માન ન હોય ! શ્રી સંઘનગર ગુણભવનથી ગહન હોય, શ્રતરત્નોથી ભરેલ હોય, દર્શનરૂપ શુદ્ધ શેરીઓથી મંડિત હોય અને અખંડ ચારિત્રરૂપ કિલ્લાથી રક્ષાયેલ હોય. સૂત્રકાર કહે છે કે-“હે સંઘનગર ! તારું કલ્યાણ થાઓ !” કેમકે-તેઓશ્રી માને છે કે સંઘનગરના કલ્યાણમાં અમારું કલ્યાણ છે. શ્રી તીર્થંકરદેવ પછી જે પૂજ્ય ગણાય છે, તે શ્રી સંઘ આવો હોય. સભાઃ જામનગરનો ઉપકાર માનવો જોઈએ અને એવા વિરોધીઓની દયા ખાવી જોઈએ. બરાબર ! ભર્તુહરિ પણ કહે છે કે-શત્રુઓ પણ જીવો, કારણ કે શત્રુઓ પણ સાવચેત રાખે છે. એવાની પણ દયા ખાવી, પણ તે પોતાના દુશ્મનો માટે ! શાસનના શત્રુઓ માટે નહિ, શાસનના શત્રુઓ જીવતા રહો, એમ ન કહેવાય. સભાઃ એ પણ આપણા છે. આખી દુનિયા આપણી છે, એમ જ માનવાનું. એ પણ સંઘનગરમાં ભળે એ ઇચ્છવાનું. “સવિ જીવ કરૂં શાસનરસી.” – એ ભાવના આપણી હોય. પણ આપણા કે પરાયા જ્યાં સુધી શ્રીસંઘની કોટિમાં ન આવે ત્યાં સુધી “આપણાઆપણા” એમ કહી જોખમ ન જ વહોરાય, એ યાદ રાખો ! સભાઃ જેમ જેમ વિરોધ થયો તેમ તેમ દીક્ષાં પ્રકરણ સ્પષ્ટ થયું. એ બરાબર, પણ એમને તમારામાં ભેળવતાં તમે એમનામાં ન ભળો, એની ખાસ કાળજી રાખવાની છે ! અસ્તુ.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy