SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 ચક્રવર્તીને દુનિયાના પાપનો વીસમો ભાગ, માંડલિક રાજાને છઠ્ઠો ભાગ, તેમ આચાર્યને અર્ધભાગ એટલે પચાસ ટકા પાપની ભાગીદારી લાગે છે. આથી તેઓ એક એક કુમતને મૂળથી ઉખેડીને ફેંકી દે. અનેક કુમતનું ઉન્મૂલન કરવાનું કામ કાયમ ચાલુ જ હોય. દર્શનશુદ્ધિ એ મહાગુણ છે. એમાં કચરો ન પાલવે. દર્શનશુદ્ધિ ઊડી જાય તો એ શેરીમાં કચરાના ઢેર થાય. દર્શનરૂપ શુદ્ધ શેરીમાં સંસારની વાસનાના કચરાને પેસવા ન દેવાય. નાટક-ચેટક એ બધો કચરો છે. એ દર્શનશુદ્ધિને મલિન કરે છે. તે કચરાને સાફ કરનાર જિનમંદિર, પૌષધશાળા, રથયાત્રા, મહોત્સવ, ઉઘાપનો, પ્રભુની મોટી પૂજાઓ, સ્નાત્ર પૂજાઓ, મહાપૂજાઓ વિગેરે શ્રી સંઘનગરમાં અખંડ ચાલુ જ હોય. નગર હોય ત્યાં રોજ બેન્ડ વાગે તેમ સંઘનગરમાં આ મહોત્સવો ચાલુ જ હોય. સભા નગરનો રાજા કોણ ?. 15 ૧૫ રાજા તરીકે શ્રી જિનેશ્વરદેવ બેઠા જ છે. બાકી આ તો સામાન્ય વર્ણન છે. વિસ્તૃત વર્ણનમાં તો ઘણી ઘણી વાતો લાવવી પડે તેમ છે. ચોર, લૂંટારા વિગેરે, ભયંકર રોગો, ઝેરી જંતુઓ અને એના યોગે નીપજતાં મરણો અને થતાં મડદાંઓના ઢગલાઓ અને પાછળની કાણમોકાણ અને ભાગાભાગ વિગેરેનું વર્ણન પણ કરી શકાય. પણ આટલી મુખ્ય વસ્તુના વર્ણનથી બધુંય સહેલાઈથી સમજી શકાય તેમ છે. દર્શનરૂપ શુદ્ધ શેરીમાં ફરનારા તો વૈરાગ્યરૂપ સરોવરમાં ઝીલનારા હોય. સંસારની અસારતાનો ધ્વનિ તો એ શેરીની ધૂળમાંથી પણ નીકળે. મહાન ગીતાર્થ મુનિઓથી એ શેરીઓ પાવન થયેલી હોય. ‘જૈનો એવું જીવે કે-તેવું જીવન જીવવાની ઇચ્છા જૈનેતર પણ કરે. જૈનેતરો એ જીવનનાં વખાણ કરે. ભદ્રિક જૈનેતરને ભડકાવનારા તો આપણા ઘરના ચેપી રોગો છે. સંઘ કહેવરાવવું, પચીસમા તીર્થંકર તરીકે પૂજાવવા નીકળવું અને ગુણનું ઠેકાણું નહિ, શ્રુતની ભક્તિ નહિ, દર્શન-વિશુદ્ધિમાં દેવાળું, એ કેમ પાલવે ? આપણું અને પરાયું : દુનિયાની દરેક ચીજમાંથી મારાપણું ખસે, એ દર્શનવિશુદ્ધિ ! એને . નાટકચેટક જોવાં ન ગમે. ધર્મને નામે ચાલતાં નાટકો વગેરેને પણ એ કદી ન જુવે. મંદિરમાંથી, ઉપાશ્રયથી, વ્યાખ્યાનથી જે વૈરાગ્ય ન લે, તે નાટકમાંથી લેશે ? હીરાના ઢગલામાંથી પણ જે હીરા ન લે, એ પથરાના ઢગલામાંથી હીરા લેશે ? ચોવટિયાપણું, દુષ્ટ વાસના તથા ઇંદ્રિયોની આધીનતા અને લાલસાને
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy