________________
૧૪ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
- 14 - હવે આ સંઘરૂપ નગરનો કિલ્લો તે અખંડ ચારિત્ર છે. અખંડ ચારિત્ર એટલે કે મૂળ ગુણો. એ ગુણોને ધરનાર શ્રીસંઘ પચીસમો તીર્થકર અને એ પૂજ્ય. ઉત્તર ગુણો, શ્રતરત્નો, દર્શનશુદ્ધિ અને અખંડ ચારિત્ર કોનામાં હોય ? સાધુ સંઘમાં. ત્યારે શ્રાવકસંઘમાં શું ? તો એ જ કે-એ, એ સંઘનો પૂજારી ! એનામાંથી જો સાધુ સંઘની પૂજા થાય તો એ શ્રીસંઘની બહાર ગયેલા જ છે. સભાઃ એ જૈનેતર !
એ લોકોત્તર ! શાસ્ત્રાનુસારી વર્તમાન ઉત્તમ રીતિએ લોકોત્તર અને આ અધમ રીતિએ લોકોત્તર ! એ તો ઘરનાયે નહિ અને બહારનાય નહિ !! “ગતો બહાસ્તો શ્રદ:' એ પોતાના સ્થાનમાં રહેતા નથી. ધોબીના કૂતરા જેવી દશા : ન ઘરનો કે ન ઘાટનો ! શ્રીસંઘનું સ્વરૂપ બાંધવામાં આ પહેલી ગાથા તો મંગળાચરણ છે. એક ગાથામાં છે બધું, પણ જ્યારે વાત ચક્રાવે ચડી છે, જે તે પોતાને સંઘ કહેવરાવવા માંગે છે, ત્યારે એ વાતને પીંજવી જોઈએને ! તળાઈ કરવા રૂને કેમ પીંજાય ! એક એક પૂણી પીંજાય. આપણે પણ સંઘ સ્વરૂપને પીંજવું પડશે.
સભાઃ કપાસિયાં નીકળી જાય.
કપાસિયાં અને તણખલાં નીકળે પછી તળાઈ ખૂંચે નહિ: એમાં સૂતાં શંકા નહિ, વાગવાનો ભય નહિ, એ તો મુલાયમ લાગે. એવો મુલાયમ અમારે શ્રીસંઘ બનાવવો છે. “પડતાને પાડે અને ચઢતાની ઠેકડી કરે,” તે શું શ્રીસંઘ છે ? વર્ષો ગાળ્યાં એ પ્રમાણે બુદ્ધિ કેળવો. મોટા કહેવરાવવું હોય તો મોટા બનો. શ્રીસંઘના આગેવાન કોણ ? શ્રીસંઘરૂપ નગરમાં વર્ણવી તે ચારે વસ્તુમાંથી, કોઈને પામવારૂપે અને કોઈને ભાવનારૂપે સ્પર્શીને ઊભા હોય તે ! તીર્થંકર પણ તીર્થપતિ અને આચાર્ય પણ અમુક રીતે તીર્થપતિ જેવા ! શ્રી તીર્થંકરદેવે સ્થાપેલા તીર્થના સંચાલક આચાર્ય છે. તીર્થ પર આપત્તિ આવે ત્યારે તે પુણ્યપુરુષ ચૂપચાપ બેસી ન રહે. ચૂપચાપ બેસી રહેવું તે આચાર્યનો ધર્મ નથી. ક્ષત્રીય કદી પલાંઠી વાળી ખાવા ન બેસે, ઊભે પગે ખાવા બેસે, તલવાર કેડે જ હોય, તેમ આચાર્યદેવ પણ શાસનની રક્ષા માટે સાવધ જ હોય. શાસનસેવાના કાર્યમાં તેઓ ક્યારેય પ્રમત્ત ન હોય.
પૂજ્ય આચાર્ય ભગવાન તો રાજાની જગ્યાએ છે. પ્રભુના શાસનને જીવન્ત રાખવાની ફરજ એમના શિર પર છે. પોતાની નિશ્રામાં રહેલા આત્માઓ ઉન્માર્ગે જાય, તો એ પાપની ભાગીદારીના પચાસ ટકા એમને શિર છે.