________________
18
-
– ૧ : સંઘપતિ કેવા હોય ? - 1
-
૧૩
સ્વરૂપને વિચારશું. પૂજા દ્વારા તમે જ્યારે કબૂલ કરો છો કે આ સંસારની છાયા શીતલ નથી-આ સંસારની માયા કૂડી છે-આ કાયા કાચની માફક છેવટે નાશ પામનારી છે અને એક શ્રી જિનેશ્વરદેવના મુનિવરની માયા એ જ સાચી છે.ત્યારે આ કાળી લાઇનનું ફરફરિયું તે વાતનો ઇન્કાર કરવાની ચેષ્ટા કરે છે. આ ફરફરિયાની કાળી લાઇનો, આના પ્રચારકોની મનોદશાનો સ્પષ્ટ ખ્યાલ કરાવે છે. આચાર્ય સંઘના સંચાલક છે !
“શીતળ નહિ છાયા રે આ સંસારની સંસારની છાયા પણ શીતળ નથી; છાયામાં તો ઠંડકનો ગુણ હોય, પણ આ સંસારની તો છાયામાંય દાહ છે. સંસારનો સંતાપ તો ભયંકર છે જ, પણ એની છાયા પણ ભયંકર છે. આ પ્રમાણે ભગવાનની પાસે લાંબા હાથ કરીને બોલનારની પણ જો વિપરીત દશા હોય, તો સંઘ-નગરનો નાશ થવા માંડ્યો ગણાય. પણ નગરના કિલ્લા અખંડિત હોય તો એનો નાશ ન થવા દે, માટે કિલ્લા તરીકે તમને ન ગોઠવ્યા. કિલ્લાના રક્ષકો, કિલ્લા બહારના લુંટારુઓને અંદર પેસવા ન દે અને અંદરના લુંટારાઓને યથેચ્છ ફરવા ન દે. કિલ્લાથી ડરે કોણ ? લુંટારા, શાહુકાર તથા સજ્જનો કદી જ ન ડરે. આજના લુંટારાઓ આ કિલ્લાને જમીનદોસ્ત કરવા ઇચ્છે છે, સર્વવિરતિ ધર્મરૂપી કિલ્લાને જમીનદોસ્ત કરવા એ લૂંટારાઓ મથે છે : એવાના સહાયકો પ્રભુશાસનના વિશ્વાસઘાતી છે. વફાદાર તો કહી દે કે – “જાન જાય તો હા, પણ એ કિલ્લાને ભૂશાયી ન થવા દઈએ.' પછી આગળ -
કૂડી છે માયા રે આ સંસારની” : “આ મારું-આ મારું-આ બધી માયા કૂડી છે. સંસારની છાયા શીતળ નથી
અને એની માયા કૂડી છે, આવું ત્રણ લોકના નાથની પાસે-વીતરાગ પાસે-સર્વજ્ઞ પાસે રોતે હૃદયે બોલો છો ને !
કાચની કાયા રે છેવટ છારની કાયા પણ કાચ જેવી, ફૂટી જાય એવી. એમાંથી આત્મા નીકળે તે પછી એની સામે જોવું પણ ન ગમે. છેવટે -
“સાચી એક માયા રે જિન-અણગારની” સાચી માયા જિન-અણગારની કહી : અણગાર એટલે જેને ઘર નહિ તે. હવે આથી તમે સમજી શક્યા હશો કે-સંઘનગરી શેરીની ધૂળ પણ કહે છે કે : - “સારોથું સંસાર”