________________
૩૪૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ વચનની કિંમત કરવી, એ પણ આત્મઘાતને નોંતરવા જેવું છે. અરે, એ લોકો તો એવા છે કે, એક જ ગ્રંથના એક પાનાની અમુક પંક્તિ પોતાના મતના સમર્થનમાં માને ! અને એના જ બીજા જ પાનાની પંક્તિ કે જે પોતાને પ્રતિકૂળ હોય તે પ્રક્ષિપ્ત માને !! એમ આચાર્યોને ખોટા માનનાર તો મહાવીર હતા એની પણ ખાતરી શી ? એ પણ તર્કટ કાં ન હોય ?' એમ કહે તોય તેમને શી હરકત છે ? પણ એમને કહો કે, બતાવો, કયા આચાર્ય એવા લાગે છે ?'
સભાઃ એવા ઝઘડામાં તો પડવાની એ ના પાડે છે.
એ ચાલે ? અને વળી સાચી વાત જાહેર કરવામાં ઝઘડો પણ શાનો ? ગમે તેવો આક્ષેપ કરી દેવો અને પછી તે આક્ષેપને સાબિત કરવાનું આહ્વાન કરવામાં આવે, ત્યારે તેને ઝઘડો કહી છૂટવાની બારી શોધવી, એ ન્યાય ક્યાંનો ? પોતાના કથનને સાબિત કરવાની વાતને ઝઘડો કહી તેવા ઝઘડામાં પડવું ન હોય તો તેવું બોલવું શું કરવા ? ખરેખર, આ તો ભયંકર જ કૂટનીતિ કહેવાય ! પૂર્વે તો વાદી એવા હતા કે, પોતે પક્ષ માંડતા, હેત કહેતા, દષ્ટાંત દેતા અને પોતાના મતની સિદ્ધિ કરતા પછી સામા તરફથી એનું ખંડન થતું, એ તમામ સાંભળતા, ફરી નવો હેતુ કહેતા અથવા નિરુત્તર થતા તો સત્ય સ્વીકારતા અગર મૂંગા મૂંગા ચાલ્યા જતા હતા; આ તો અક્કલ વગરના એવા કે, એમને પોતાનું માંડતાં આવડે નહિ, પોતાના વિચાર મૂકતાં આવડે નહિ, હેતું, દૃષ્ટાંત, દલીલ, પ્રમાણ મૂકતાં આવડે નહિ અને ગમે તેમ બોલી દેવું, પાછું બોલેલું સાબિત કરવું નહિ અને સત્યને સ્વીકારવું પણ નહિ.
કોઈ પણ શાસ્ત્રને ખોટું કહી દે અને આપણે એને ખોટું સાબિત કરવાનું કહીએ ત્યારે ઊલટા કહે, “સાચું છે તેમ તમે સાબિત કરો !! આ તે કાંઈ ન્યાય છે કે કેવળ બુદ્ધિનું દેવાળું છે? આથી એ વાત સ્પષ્ટ જ છે કે, અનંતજ્ઞાનીઓએ અનંતજ્ઞાનથી જોયેલી ચીજને ચર્મચક્ષુથી જ જોવાની ભાવના, એ હૃદયમાં રહેલું નાસ્તિકપણું છે. એવા નાસ્તિકપણાથી બચવું એ દરેકેદરેક આત્મકલ્યાણના અર્થીની ફરજ છે. જૈનદર્શનમાં કોઈ જીવને મારવાની છૂટ નથી:
મેરૂની પીઠનું વર્ણન ચાલે છે. પીઠની મજબૂતાઈનું વર્ણન એટલા માટે છે કે, જેથી એના પરની ચીજ બધી ટકે, કેમ કે, મેરૂ શોભારૂપ છે, શાશ્વત છે, સદા સ્થિર છે, મેરૂની પીઠિકા વજની છે. વજ ભલભલા પહાડને ભેદે, પણ એ કશાથી ભેદાય નહિ, તેવી રીતે શ્રીસંઘની પણ અભેદ વજમયે પીઠિકા તે સમ્યગુદર્શન છે અને સમ્યગુદર્શન એટલે તત્ત્વાર્થની અવિપરીત શ્રદ્ધા. આજે તો